શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનને જામીન મળશે કે તેને 14 દિવસ સુધી જેલમાં રહેવું પડશે, તે આજે ક્લિયર થઇ જશે. ક્રૂઝ શિપ પર ડ્રગ પાર્ટી કરવાના આરોપમાં કોર્ટમાં આર્યન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાની જામીન અરજી પર સુનાવણી ચાલી રહી છે. બંને પક્ષો જુદા જુદા કેસોને લઇ દલીલ કરી રહ્યા છે, જામીન અરજીની સુનાવણી આ કોર્ટમાં થવી જોઈએ કે નહીં. આ દરમિયાન આર્યનના વકીલ સતીશ માનશિંદેએ કહ્યું કે જો કોઈ વિવાદ હોય તો ન્યાયાધીશે આ મામલો ઉચ્ચ બેન્ચને મોકલવો જોઈએ, પરંતુ કમનસીબે એવું થયું નહીં.
સુનાવણી દરમિયાન આર્યનના વકીલ માનશિંદેએ એમ પણ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર આ કેસમાં આટલી ઉતાવળ કેમ કરી રહી છે? તેને જવાબ આપતા ASG અનિલ સિંહે કહ્યું કે તમે એવું ન કહી શકો.
કોર્ટરૂમ લાઇવ
ASG અનિલ સિંહ: અમે મેન્ટેબીલિટીના આધારે મુદ્દાઓ ઉઠાવી રહ્યા છીએ. તો પહેલા તે જવાબ આપો.
આર્યનના વકીલ સતીશ માનશિંદે: તમામ દલીલો એક મંચ પર આપવામાં આવશે.
ASG: તે ન થઈ શકે.
માનશિંદે: તમે કોર્ટને આદેશ આપી શકતા નથી.
ASG: મેન્ટેબીલિટીની વાત થઇ ચુકી હોય તો ત્યારે આ સાંભળવામાં આવું જોઈએ
માનશિંદે: અમે સંપૂર્ણ રીતે રિમાન્ડ પર દલીલો રજૂ કરી છે, મેન્ટેબીલિટીની નહીં.
માનશીંદે તરફથી કોર્ટ: તમે મેરીટ અને મેન્ટેબીલિટીની આધારે તમારી દલીલો આપો, પહેલા તમારે જે કહેવું હોય તે ફાઈલ કરો, અમે નક્કી કરીશું.
ASG: કૃપા કરીને એવું ન કહો, સામાન્ય રીતે જે મેન્ટેબીલિટીનો મુદ્દો ઉઠાવે છે અને પ્રથમ દલીલ કરે છે. પછી બીજો પક્ષ જવાબ આપે છે.
કોર્ટ: આરોપીઓએ સંપૂર્ણ વિગતો સાથે અરજી દાખલ કરી છે.
ASG: પરંતુ આ પ્રક્રિયા નથી. શું હું સાચી પ્રક્રિયાની વાત ન કરી શકું?
કોર્ટ: ઠીક છે, અમે સમજીએ છીએ, તમે તમારી અરજી દાખલ કરો.
માનશિંદે: આવી વસ્તુઓ તાજેતરના વર્ષોમાં જોવા નથી મળી છે. આ ચોંકાવનારુ છે કે કોર્ટે, જેમને પાસે થી કંઇ ન મળ્યું, તેમના જામીન નામંજૂર કર્યા અને તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા.
ASG: જો કોઈ કેસમાં 10 આરોપીઓ હોય, માત્ર એક FIR હોય, તો પછી જો એક આરોપી સાથે નાની માત્રામાં ડ્રગ્સ મળી આવે અને અન્ય લોકો સાથે ન મળે તો પણ તેમને અલગ કરી શકાતા નથી.
મનશિંદે: NDPS ની કલમ 37 હેઠળ મારા ક્લાયન્ટ પર કોઈ પ્રતિબંધ નથી. સાહેબ જો તે મેન્ટેબલે યોગ્ય હોય તો તમે જામીન આપી શકો છો. કૃપા કરીને 2006 ના હાઇકોર્ટના ચુકાદાને જુઓ. આવા કેસોમાં જામીન અંગે હાઇકોર્ટનું વલણ હંમેશા લચીલું રહ્યું છે.
આર્યનના વકીલ દ્વારા દાખલ કરવામાં આવેલી બે અરજીઓમાંથી એક વચગાળાના જામીન માટે છે જેથી આર્યનને તાત્કાલિક જામીન મળે અને બીજી નિયમિત જામીન માટે છે એટલે કે જ્યાં સુધી કેસની તપાસ ન થાય ત્યાં સુધી તે જામીન પર રહે છે. બીજી તરફ, NCB પહેલાથી જ NDPC એક્ટ હેઠળ નિયમિત જામીનનો વિરોધ કરી ચૂકી છે. અગાઉ, કોર્ટે 4 કલાક સુધી ચાલેલી સુનાવણી બાદ ગુરુવારે આર્યન સહિત તમામ 8 આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. આ કેસની સુનાવણી પહેલા તમામ આરોપીઓનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
NCB દ્વારા આ દાવો કરવામાં આવ્યો
એનસીબી દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે આર્યનના ફોન પરથી પિકચર્સ રૂપમાં અનેક લિંક્સ મળી આવી છે, જે આંતરરાષ્ટ્રીય ડ્રગ હેરફેર તરફ ઈશારા કરે છે. NCB એ કહ્યું હતું કે – ચેટમાં ઘણા કોડ નામ પણ મળી આવ્યા છે અને તેમને શોધી કાઢવા માટે કસ્ટડીની જરૂર છે. NCB એ 11 ઓક્ટોબર સુધી કસ્ટડી માંગી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી.