નવાબ મલિકનો મોટો આરોપ- NCB સાક્ષીઓ નક્કી, ફ્લેચર પટેલ અને સમીર વાનખેડે વચ્ચે પારિવારિક સંબંધો શું છે?
મહારાષ્ટ્રમાં ડ્રગ્સને લઈને રાજકારણ ચાલુ છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિક ડ્રગ્સ કેસની તપાસને લઈને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) પર એક પછી એક સવાલો ઉઠાવી રહ્યા છે. NCB પર નવાબ મલિકનો હુમલો ચાલુ છે. નવાબ મલિકે એનસીબીના ઝોનલ ડિરેક્ટર અને એનસીબીની કાર્યવાહી અંગે એક પછી એક ખુલાસા કર્યા છે. નવાબ મલિકે પૂછ્યું- ફ્લેચર પટેલ અને સમીર વાનખેડેનો પારિવારિક સંબંધ શું છે? નવાબ મલિકે ત્રણ કેસોના પંચનામાને ટાંકીને પૂછ્યું – NCB ના તમામ દરોડામાં ફ્લેચર પટેલ ત્યાં કેવી રીતે પહોંચે છે?
બીજી તરફ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું નિવેદન સામે આવ્યું છે કે જે ક્રૂઝ શિપ ડ્રગ કેસમાં ધરપકડ કરાયેલા અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને લઇ ઉદ્ધવ ઠાકરેએ NCB પર ગુસ્સે થઈને કહ્યું કે સમગ્ર વિશ્વમાં, ગાંજા અને ચરસનો ધમધોકાર વેપાર મહારાષ્ટ્રમાં જ ચાલી રહ્યો છે, તે દરેક જગ્યાએ કહેવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે હું ફરી કહું છું કે, આપણી સંસ્કૃતિ આંગણામાં તુલસી રોપવાની છે. પરંતુ એવું બતાવવામાં આવી રહ્યું છે કે જાણે તુલસીની જગ્યાએ ગાંજાનું વાવેતર કરવામાં આવી રહ્યું છે, તમે શા માટે આ ઇરાદાપૂર્વક કરી રહ્યા છો? એવું નથી કે તે માત્ર મહારાષ્ટ્રમાં જ જોવા મળે છે. મુન્દ્રા બંદરે કરોડોની ડ્રગ્સ મળી આવ્યો, મુન્દ્રા ક્યાં છે? ગુજરાત … બરાબર? એવું નથી કે આપણી પોલીસ કંઈ કરી રહી નથી.
ઠાકરેએ કહ્યું કે તમે અહીં ચુટકીભર ગાંજાની ગંધ લેનારાઓને માફિયા તરીકે કહો છો? તમે કોઈ સેલિબ્રિટીને પકડો, ફોટો લો અને ઢોલ વગાડો. અમારી મહારાષ્ટ્ર પોલીસે 150 કરોડ રૂપિયાની ડ્રગ્સ જપ્ત કરી છે. …..