Assam Flood: આસામમાં પૂરના કારણે અનેક જિલ્લાઓમાં ભૂસ્ખલન થયું છે. રાજ્યના કરીમગંજ જિલ્લામાં ભૂસ્ખલનને કારણે પાંચ લોકોના મોત થયા છે. રાજ્યમાં પૂરને કારણે 15 જિલ્લાના 1.61 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. રાજ્યમાં પૂરના કારણે અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયા છે.
આસામના કરીમગંજ જિલ્લાના બદરપુર વિસ્તારમાં ભૂસ્ખલનથી ત્રણ સગીર સહિત પાંચ લોકોના મોત થયા છે. કરીમગંજના પોલીસ અધિક્ષક પાર્થ પ્રોતિમ દાસે માહિતી આપી હતી કે આસામમાં પૂરની સ્થિતિ હજુ પણ ગંભીર છે. રાજ્યમાં પૂરને કારણે 15 જિલ્લાના 1.61 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. રાજ્યમાં પૂરના કારણે અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયા છે.
#WATCH | The flood situation in Assam is still grim as over 1.61 lakh people of 15 districts have been affected by the flood, claimed 26 lives in the state so far.
According to the flood reports of the Assam State Disaster Management Authority (ASDMA), one person died in… pic.twitter.com/TIXJZbgQhb
— ANI (@ANI) June 19, 2024
ચક્રવાત રેમલના કારણે આસામમાં ભારે વરસાદ
તમને જણાવી દઈએ કે ચક્રવાત રામલના કારણે આસામમાં ભારે વરસાદ થયો છે, જેના કારણે વ્યાપક પૂરની સ્થિતિ સર્જાઈ છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર, 14 જિલ્લાઓ અને 309 ગામો પૂરને કારણે પ્રભાવિત થયા છે, જેમાં કરીમગંજ સૌથી વધુ પ્રભાવિત છે.