Jammu Kashmir કોંગ્રેસે નેશનલ કોન્ફરન્સથી દૂર જવાની તૈયારી? – જમ્મુ-કાશ્મીરમાં રાજકીય સંકેતો બદલાઈ રહ્યા છે
Jammu Kashmir જમ્મુ અને કાશ્મીરના રાજકારણમાં ફરી એકવાર હલચાલ જોવા મળી રહી છે. રાજ્યના કોંગ્રેસ પ્રભારી અને રાજ્યોસભાના સાંસદ નાસિર હુસૈનના તાજેતરના નિવેદનથી એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ હવે નેશનલ કોન્ફરન્સથી દૂર રહેવાની તૈયારીમાં છે. હુસૈને કહ્યું કે, “જ્યારે કોંગ્રેસ એકલી ચૂંટણી લડવાની સ્થિતિમાં આવશે, ત્યારે જ તે ભાજપ સામે મજબૂતીથી લડી શકશે.”
તેઓએ ઉમેર્યું કે પાર્ટી હાલ પોતાની સંગઠનાત્મક મજબૂતી પર કામ કરી રહી છે અને ભવિષ્યમાં શું કરવું તેની રણનીતિ બનાવી રહી છે. જો કે, ગઠબંધન ચાલુ રહેશે કે નહીં, તે નિર્ણય હાઇકમાન્ડ લેશે.
સંગઠન મજબૂત કર્યા વિના ભાજપને હરાવવું મુશ્કેલ
નાસિર હુસૈનના કહેવા મુજબ, ભવિષ્યમાં કોંગ્રેસ માટે સૌથી મોટું લક્ષ્ય છે પોતાનું સંગઠન મજબૂત બનાવવું. તેમણે કહ્યું કે ભાજપ સામે સફળતા મેળવવી હોય તો પાર્ટી એકલા ચૂંટણી લડવા લાયક બનવી જોઈએ. આ સ્પષ્ટ સંકેત છે કે કોંગ્રેસ હવે કાશ્મીરમાં પોતાનું ભવિષ્ય બીજા પક્ષો પર નિર્ભર રાખવા બદલે પોતાનાં આધાર પર નિર્માણ કરવા માંગે છે.
ઓમર અબ્દુલ્લાના નિવેદન સાથે સમયસર સંકેત?
આ રાજકીય સંકેતો એવા સમયે મળી રહ્યા છે જ્યારે નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ તાજેતરમાં જણાવ્યું હતું કે જો રાજ્ય દરજ્જો પુનઃસ્થાપિત થાય અને વિધાનસભા ભંગ કરીને નવી ચૂંટણીઓ યોજાય, તો તેમને કોઈ વાંધો નથી. તેવાં સમયમાં કોંગ્રેસ તરફથી આવતું “એકલા લડવાનું” સંકેત બંને પક્ષોના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ છે.
પહેલગામ હુમલામાં ગુપ્તચર નિષ્ફળતા – કોંગ્રેસનો વલણ સ્પષ્ટ
પહેલગામમાં થયેલા આતંકી હુમલા અંગે નાસિર હુસૈને કહ્યું કે આ ઘટના ગુપ્તચર તંત્રની નિષ્ફળતાનું પરિણામ હતી. તેમણે આક્ષેપ કર્યો કે ઘટનાસ્થળે CRPF કે પોલીસ હાજર નહોતી અને આતંકીઓ ભારતની અંદર આવી 26 લોકો મારીને પરત જઈ શક્યા. તેમણે ગૃહમંત્રીએ પણ આ ગુપ્તચર નિષ્ફળતા સ્વીકારી હોવાનો દાવો કર્યો.
રાજકીય દ્રષ્ટિએ મહત્વપૂર્ણ ફેરફાર
નાસિર હુસૈનના આ નિવેદનોથી સ્પષ્ટ છે કે કોંગ્રેસ હવે ગઠબંધનની રાજનીતિ કરતાં પોતાનું આગવું જમાવવાનું વિચારી રહી છે. જમ્મુ-કાશ્મીરના આગામી રાજકીય દૃશ્યમાં આ બદલાવની અસર સ્પષ્ટ રીતે દેખાશે.