PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે બાલુરઘાટમાં જનસભાને સંબોધિત કરતા TMC પર જોરદાર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે ટીએમસીએ ફરી એકવાર પશ્ચિમ બંગાળમાં રામ નવમીની ઉજવણીનો વિરોધ કર્યો, પરંતુ સત્યનો વિજય થયો. તેમણે કહ્યું કે ટીએમસીના વિરોધ છતાં ભાજપ પશ્ચિમ બંગાળના વિકાસ માટે બધું જ કરશે.
PM એ કહ્યું કે TMC ઘૂસણખોરોને સમર્થન આપે છે, પરંતુ CAAનો વિરોધ કરે છે જે શરણાર્થીઓને નાગરિકતા આપે છે.
જ્યારે કેન્દ્રીય એજન્સીઓ ભ્રષ્ટાચારના કેસોની તપાસ કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેમના પર પણ હુમલો કરવામાં આવે છે.
સંદેશખાલીની ઘટનાને યાદ કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે સંદેશખાલીમાં મહિલાઓ સામેના ગુનાઓથી આખો દેશ ચોંકી ગયો છે. તેમણે કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસે પશ્ચિમ બંગાળને ઘૂસણખોરો અને ગુંડાઓને લીઝ પર આપ્યું છે. તૃણમૂલ કોંગ્રેસ ઘૂસણખોરોને સમર્થન આપે છે, પરંતુ શરણાર્થીઓને નાગરિકતા આપતો કાયદો ‘CAA’ નો વિરોધ કરે છે.