લોકોને લગ્નની લાલચે ઠગી લેવાના કિસ્સા પ્રકાશમાં આવતા રહે છે. આવો જ એક કિસ્સો નવસારી જિલ્લામાં સામે આવ્યો છે. જ્યાં એક પરિણીત અને બે બાળકોની માતાને સુરતના યુવાન સાથે લગ્ન કરાવી ઠગાઈ કરાઈ હોવાનો ગુનો ટાઉન પોલીસ મથકે નોંધાયો છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે સુરતના વરાછા વિસ્તારમાં રહેતા અને વાણંદનો વ્યવસાય કરતા યુવાનના મોટી ઉંમરે પણ લગ્ન થયા ન હતા. યુવાનના પરિજન યોગ્ય કન્યા શોધી રહ્યા હતા. દરમિયાન આ પરિવારને ઠગ ટોળકીનો ભેટો થઈ ગયો. આ ટોળકીએ નવસારી જિલ્લાના ખેરગામ ખાતે રહેતી એક મહિલા સાથે કરાવી દીધા. બાદમાં આ ટોળકીએ કહ્યું કે કન્યાની માતા બીમાર છે અને તેના ઉપચાર માટે દોઢ લાખ રૂપિયાની રકમ પડાવી લીધી
બાદમાં જ્યારે લગ્ન કરનાર મહિલા તેના ઘરે ન પહોંચતા તેના માતા-પિતાએ પોતાની પુત્રી ગુમ હોવાની ગણદેવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. અને અહીંથી શરૂ થયું ઠગ ટોળકીનો ભાંડો ફૂટવાનું શરૂ. સૌપ્રથમ લગ્ન કરનાર યુવકને મોટા આઘાતજનક સમાચાર મળ્યા, અને એ હતા કે તેણે જે મહિલા સાથે લગ્ન કર્યા છે તે અગાઉથી જ પરણીત છે અને તે બે બાળકોની માતા પણ છે.
ફરિયાદ બાદ પોલીસે ફરારા દુલ્હનને શોધી ધરકપડ કરી, બાદમાં પૂછપરછમાં લૂંટેરી દુલ્હને સમગ્ર રેકેટનો પર્દાફાશ કરી તેની ઠગ ટોળકીની પોલ ખોલી. પોલીસે ઠગ ટોળકીના છ સભ્યોની ધરપકડ કરી, જ્યારે તેમાંથી એક શખ્સ હજુ ફરાર હોવાનું સામે આવ્યું છે. તો આ ઠગ ટોળકીમાં ત્રણ મહિલા હોવાનું પણ સામે આવ્યું છે.