નવસારીમાં મોડીરાતે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. સ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે 20થી વધુ ટીયરગેસના સેલ છોડયા હતા. આ જૂથ અથડામણમાં ત્રણ પોલીસકર્મીઓ સહિત છ લોકો ઘાયલ થયા છે. વિજલપોરના વિઠ્ઠલ મંદિર પાસે સોમવારે રાતે બાઈક અકસ્માત થયો હતો. જેને પગલે બે જુથ સામ સામે આવી ગયા હતા. અને પથ્થરમારો થયો હતો.
પોલીસ કાફલો ખડક્યા બાદ પણ હજારથી વધુના ટોળાએ પથ્થરમારો ચાલુ રાખતા પોલીસે ટોળાને વિખેરવા ટીયર ગેસના સેલ છોડ્યા હતા. પરંતુ ટોળુ વધુ હિંસક થતા ત્રણ પોલીસ જવાનો સહિત 6 લોકો ઘાયલ થયા હતા.
જેમને તાત્કાલિક નવસારી સિવિલ હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ટોળાને વિખેરવા પોલીસે 20 થી વધુ ટીયર ગેસના સેલ છોડ્યા હતા. અને રાતભર કરફ્યુ જેવી સ્થિતિ જોવા મળી.