નવસારીઃમંગળવારઃ-કોવિડ-૧૯ વાયરસ સંક્રમણને પગલે નવસારી જિલ્લામાં તા.૧૬/૦૬/૨૦૨૦ ના રોજ ૬૫ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં નવસારી- ૦૯, જલાલપોર- ૧૫, ગણદેવી- ૧૦, ચીખલી- ૧૨, ખેરગામ-૦૪ વાંસદા- ૧૨ અને અન્ય જિલ્લાના -૦૩ સેમ્પલ લેવામાં આવ્યાં છે. જેમાં અત્યાર સુધીમાં કુલ- ૪૦૯૨ સેમ્પલ લેવામાં આવ્યા છે જે પૈકી ૩૯૮૮ સેમ્પલ નેગેટીવ આવ્યા છે. જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની ઘનિષ્ટ કામગીરી થઇ રહી છે. જિલ્લામાં પાંચમા રાઉન્ડમાં હાઉસ ટુ હાઉસ સર્વેમાં ૧૪,૧૫,૦૪૧ વસ્તીને આવરી લેવામાં આવી છે. નવસારી જિલ્લામાં આજદિન સુધી કુલ-૩૯ કોરોનો પોઝીટીવ દર્દીઓ નોîધાયેલા છે. જિલ્લામાં આજે કોરોના પોઝીટીવનો કોઇ કેસ નોîધાયેલ નથી.
હાલમાં, પંચમુખી ઍપાર્ટમેન્ટ-પાંચ હાટડી, કાગદીવાડ-નવસારી, જામનપાડા-ખેરગામ, લક્ષ્મીનગર સોસાયટી-લુન્સીકુઇ, ગૌતમનગર-વિજલપોર, મધુરમ સોસાયટી- જમાલપોર, નેહરૂ નગર-શહીદ ચોક, મેહુલ પાર્ક સોસાયટી, માસા મેવાસા, પોલીસ લાઇન જુનાથાણા, ભાટ- નેશનલ ફળિયા, પટવાશેરી જૈન દેરાસર, શિવગંગા સોસાયટી-જલાલપોર, સમીર ગાર્ડન ઇટાળવા, શ્રીજી ઍપાર્ટમેન્ટ, જુનાથાણા, નવસારી, નવસારી શહેરી વિસ્તારમાં વિરભદ્ર કોમ્પલેક્ષ, સ્ટેશન રોડ, ઠાકોરવાડી વિસ્તાર, અમરદીપ સોસાયટી વિજલપોર, કાંટસવેલ, સરૈયા, બોરસી માછીવાડ તથા મોહનપુર મળી કુલ-૨૨ વિસ્તારો કન્ટેઇનમેન્ટ હેઠળ છે.
કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં ૯૪ મેડિકલ ટીમો દ્વારા કુલ ૯૩૫૧ વસ્તી, ૨૫૪૪ ઘરોનું સર્વે હાથ ધરવામાં આવ્યું છે. તેમ નવસારી જિલ્લા પંચાયત, આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.