નવસારીના ચીખલી ડેપોમાં રિવર્સમાં એસટી બસ પ્લેટફોર્મ પર ચડી જતા ભાગદોડ મચી ગઈ હતી. બસને રિવર્સમાં આવતી જોઈને પેસેન્જરો ખસી જતા જાનહાની ટળી હતી. જોકે, પ્લેટફોર્મ પર ભારે નુકસાન થયું હતું.
મળતી માહિતી પ્રમાણે, વાપીથી ઝાલોર જઈ રહેલી એસટી બસ(GJ-18-Z-2236) ચીખલી ડેપો પર પહોંચી હતી. અને રિવર્સમાં પ્લેટફોર્મ પર મૂકવામાં આવી રહી હતી. દરમિયાન ડેપોના પ્લેટફોર્મ પર ચડી જતા ભાગદોડ મચી ગઈ હતી. બસને જોઈ પ્લેટફોર્મ પરથી પેસેન્જરો ખસી જતા જાનહાનિ ટળી હતી.
નવસારી ડેપોમાં અવારનવાર અકસ્માતની ઘટનાને પગલે પ્રકાશમાં આવતું રહ્યું છે. અગાઉ નવસારી એસટી ડેપોમાં 3 મુસાફરોને બસચાલકે પુરપાટ ઝડપે બસ હંકારી અડફેટે લઇને મોત નિપજાવ્યા હતા. આ ઘટનાને હજી 6 માસ થયા જેટલો જ સમય થયો છે ત્યાં જ આવી મોટી ઘટના ચીખલીમાં બનતા સદનસીબે રહી ગઈ હતી.
ગત 28 મેના રોજ નવસારી ડેપોની દાંડીની બસ (નં. GJ-18-Y-8022) નવસારી ડેપો પર પહોંચી હતી. પ્લેટફોર્મ નંબર 9 પરથી પુનઃ કૃષ્ણપુર જવા રવાના થવાની હતી. ચાલક ઉપેન્દ્ર બારોટે બસને પ્લેટફોર્મ ઉપર મૂકીને કંડકટર સાથે ફ્રેશ થવા નીકળ્યા હતા અને ગણતરીની મિનિટમાં બસ આગળ વધવા લાગી હતી અને તે 50 મિટર આગળ વધીને ડેપો બહાર રિક્ષાને અડફેટે લઈ લીધી હતી. બસમાં ચાલક ન હોવાથી સૌ અવાક રહી ગયા હતા.