બનારસ ખાતે આવેલી બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય આ સ્વતંત્રતા દિવસે એક નવું સંકલ્પ પૂર્ણ કરવા તરફ પ્રયાણ કરી રહી છે.
બનારસ હિંદુ વિશ્વવિદ્યાલય ની સ્થાપના 1916 મદન મોહન માલવીયજી ના પ્રયત્નો અને શ્રીમતી એની બેસન્ટના સાથ સહકારથી થઈ હતી. બ્રિટિશ સરકારમાં આ પહેલી યુનિવર્સિટી હતી જે ખાનગી પ્રયાસો અને આર્થિક મદદથી બની હતી.
શ્રી સુંદરલાલ પહેલા વાઇસ ચાન્સલર હતા જેમને આ શેક્ષણિક સંસ્થાના વિકાસમાં મહા સહયોગ પૂરો પાડ્યો.
ભારતના સ્વતંત્રતા દિવસ પર આ વિશ્વવિદ્યાલય સંપૂર્ણપણે પેપરલેસ થઈ જશે એટલે કે હવે આ વિશ્વવિદ્યાલયના રેકોર્ડનો સંગ્રહ સંપૂર્ણ રીતે ડિજિટલ સોફ્ટ્વેર દ્વારા ઉપયોગમાં આવશે અને આ કાર્યના સંદર્ભમાં યુનિવર્સિટી એ 99% કામગીરી પૂર્ણ કરી નાખી છે. વિશ્વવિદ્યાલય ના ખાતાકીય, આર્થિક અને નાણાંકીય, અને ઓફિસને લગતા દસ્તાવેજોનો સંગ્રહ અને જાણવળી તથા સંચાલન એક સોફ્ટવેર ના માધ્યમથી થશે..
આ સોફ્ટવેરના માધ્યમથી યુનિવર્સિટીનું રોજીંદૂ કામ સરળ થઈ જશે જેના થકી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોને મહત્વપૂર્ણ લાભ થશે. આ સોફ્ટવેરના ઉપયોગથી માહિતીના સંગ્રહ અને જાળવણી માટે વપરાતા કાગળની જરૂરિયાત 90%જેટલી ઓછી થઈ જશે.
સાથોસાથ ભારતની પેપરલેસ યુનિવર્સિટીઓમાં બનારસ હિંદુ વિશ્વવિદ્યાલય પોતાનું સ્થાન ગ્રહણ કરશે જેમાં મહાત્મા ગાંધી યુનિવર્સિટી કેરેલા અને IIT બંગલોર સામેલ છે.
આ સંપૂર્ણપણે પેપરલેસ બનવા બાદ યુનિવર્સિટી પોતાની પ્રવેશ પરીક્ષાને પણ ઓનલાઈન લેવા માટે વિચારી રહી છે.
આમ ભારતની શેક્ષણિક સંસ્થાઓ ના આવા વિવિધ પગલાઓના કારણે શિક્ષણક્ષેત્ર માં નોંધપાત્ર સુધારા આવી શકશે જેના થકી વૈશ્વિક સ્તરે ભારતના વિદ્યાર્થીઓ પોતાનું સ્થાન અગ્રિમ હરોળમાં પામી શકશે.