ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં નાણાકીય સુરક્ષા આપતી યોજનાઃ PM કિસાન માનધન યોજના જાણો વિગતવાર

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
2 Min Read

યોજના હેઠળ કોણ લાભ લઈ શકે છે?

ખેડૂતોએ હવે વૃદ્ધવસ્થામાં પણ નાણા માટે ચિંતા કરવાની જરૂર નથી. સરકાર તરફથી શરુ કરાયેલી આ યોજના અંતર્ગત ખેડૂતોને વર્ષે ₹36,000 સુધીના પેન્શનનો લાભ મળે છે – તે પણ ખિસ્સામાંથી પૈસા કાઢ્યા વગર.

રજીસ્ટ્રેશન માટે કેટલી ઉંમર જરૂરી?

આ યોજના હેઠળ ખેડૂતો માટે 18થી 40 વર્ષની ઉંમર વચ્ચે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. જો તમે પહેલેથી જ પીએમ કિસાન સમ્માન નિધિ યોજનામાં નોંધાયેલા છો તો અલગથી દસ્તાવેજો આપવાની પણ કોઈ જરૂર નથી. નજીકના જન સેવા કેન્દ્ર પર જવાથી સરળતાથી નોંધણી થઈ શકે છે.

- Advertisement -

PM Kisan Mandhan Yojana 1.png

કયા દસ્તાવેજોની જરૂર પડે?

આધાર કાર્ડ, બેંક પાસબુક, જમીનના દસ્તાવેજ અને પાસપોર્ટ સાઈઝનો ફોટો લઈને જન સેવા કેન્દ્ર પર જવું. ત્યાંથી ઓનલાઇન ફોર્મ ભરાઈ જશે અને એક અરજીપત્રક આપવામાં આવશે. ત્યારબાદ દર મહિને નિર્ધારિત રકમ સીધા બેંક ખાતામાંથી કપાઈ જશે.

- Advertisement -

કેટલા રૂપિયા ભરવા પડશે?

આ યોજનામાં દર મહિને માત્ર ₹55 થી ₹200 સુધીની જ રકમ ભરવાની છે. ખાસ વાત એ છે કે, આ રકમ પણ ખેડૂતના પીએમ કિસાન યોજનાના ₹6000માંથી જ કપાઈ જશે. એટલે ખેડૂતના ખિસ્સામાંથી એક પણ રૂપિયો નહીં જાય. જેમ કે, 40 વર્ષની ઉંમરે જો કોઈ રજીસ્ટર કરે છે અને તેનો યોગદાન ₹200 હોય, તો વર્ષના ₹2400 પીએમ કિસાનમાંથી જ કપાઈ જશે અને બાકીના ₹3600 ખાતામાં જમા થશે.

PM Kisan Mandhan Yojana 2.png

ખાસ પેન્શન આઈડી નંબર મળશે

- Advertisement -

નોંધણી થયા બાદ ખેડૂતને એક પેન્શન આઈડી નંબર આપવામાં આવે છે, જે તેનો ઓળખપ્રમાણપત્ર રહેશે. આ નંબરથી પેન્શનની પાત્રતા નિર્ધારિત થશે.

તાજેતરની જાહેરાત અને અગત્યની સલાહ

2 ઓગસ્ટ 2025ના રોજ વડાપ્રધાન મોદીએ પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો 9.7 કરોડ ખેડૂતોના ખાતામાં જમા કર્યો છે. જો આ હપ્તો નથી મળ્યો તો pmkisan.gov.in પર જઈને તમારું નામ ચકાસો અને માહિતી અપડેટ કરો જેથી પેન્શન અને પીએમ કિસાનનો બંનેનો લાભ મળી શકે.

ખેડૂતો માટે ભવિષ્યની સુરક્ષા

ખેડૂતોએ વૃદ્ધાવસ્થામાં નાણાકીય સલામતી માટે જરૂરથી પસંદ કરવાની યોજના છે. વહેલી તકે નોંધણી કરાવો અને આ લાભદાયક યોજનાથી તમારું ભવિષ્ય સુરક્ષિત બનાવો.

Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.