PMJAY Scheme : ગુજરાતની 21 ખાનગી હોસ્પિટલો સસ્પેન્ડ

Arati Parmar
2 Min Read

PMJAY Scheme : PMJAYમાં વધી રહેલા ભ્રષ્ટાચાર સામે સરકારનું કડક વલણ

PMJAY Scheme : અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ પછી, સમગ્ર ગુજરાતમાં PMJAY યોજના હેઠળ ગેરકાયદેસર ક્લેમ અને અણધાર્યા સંચાલન સામે રાજ્ય સરકારે ચાંપતી નજર રાખવાનું શરૂ કર્યું છે. તાજેતરમાં PMJAY Scheme અંતર્ગત વધુ 21 હોસ્પિટલ સામે કડક પગલાં લેવાયા છે.

રાજ્યની કેટલી હોસ્પિટલો સામે કાર્યવાહી?

એપ્રિલથી જૂન 2025 વચ્ચે કરાયેલા મોનિટરિંગના આધારે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ, રાજકોટ, સુરત, પાટણ, છોટાઉદેપુર, તાપી અને ગાંધીનગર સહિતના વિવિધ જિલ્લાની 21 હોસ્પિટલોને PMJAY યોજના હેઠળ સસ્પેન્ડ કરવામાં આવી છે.

ગેરરીતિઓ શું સામે આવી?

તપાસ દરમિયાન બહાર આવેલી મુખ્ય ખામીઓ:

બિનઅનુમત દર્દી દાખલ

અન્ય હોસ્પિટલના દર્દીઓ દર્શાવવા

લેબ રિપોર્ટમાં ફેરફાર કરીને ખોટા ક્લેમ

PMJAY Scheme

ઑપરેશન થિયેટરમાં અસ્વચ્છતા

BU પરમિશનનો અભાવ

ફાયર NOC વગર સેવા

CCTV કેમેરાની ગેરહાજરી

ડાયાલિસિસ અને પીડિયાટ્રિક ICUમાં માર્ગદર્શિકાનું ઉલ્લંઘન

મુખ્ય સસ્પેન્ડ થયેલી હોસ્પિટલો

રાજકોટ: ક્રાઈસ્ટ હોસ્પિટલ, ગોકુલ હોસ્પિટલ

સુરત: કે.પી. સંઘવી હોસ્પિટલ

પાટણ: આસ્થા હોસ્પિટલ

છોટાઉદેપુર: દેવ હોસ્પિટલ

અમદાવાદ: શાલિગ્રામ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ, AIMMS

ગાંધીનગર: રોટરી મેડિકલ એન્ડ રિસર્ચ સેન્ટર

તાપી: સિદ્ધિ વિનાયક હોસ્પિટલ

PMJAY Scheme

PMJAY યોજનામાં ફરી પ્રવેશ માટે શૂન્ય સહનશીલતાની શરતો

આ Hospitals PMJAY યોજના હેઠળ ફરી સામેલ થવા માંગે તો:

તમામ દસ્તાવેજી ખામીઓ દૂર કરવી પડશે

ન્યૂનતમ ક્વોલિફિકેશન અને રજિસ્ટ્રેશન પ્રમાણપત્રો રજૂ કરવા પડશે

ક્વેરીનો યોગ્ય જવાબ આપવો પડશે

રાજ્ય આરોગ્ય વિભાગના નિર્દેશોનું સંપૂર્ણ પાલન કરવું પડશે

રાજ્ય સરકારનો મેસેજ – “યોજનાનો દુરુપયોગ કરશો તો માફ નહીં”

ખ્યાતિ હોસ્પિટલ કાંડ પછી તંત્રએ શિક્ષાત્મક પગલાં લઈ સંકેત આપ્યો છે કે PMJAY Scheme માટે શૂન્ય સહનશીલતાની નીતિ લાગુ કરવામાં આવશે. ભવિષ્યમાં પણ જે પણ હોસ્પિટલ ગેરરીતિ કરશે, તેમની સામે કડક કાર્યવાહી થશે.

TAGGED:
Share This Article