સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઢોલ વાગી ચુક્યા છે અને આગામી 21 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોને નિમવા માટે અલગ અલગ નિરીક્ષકોની ટીમ બનાવી કમર કસવાનું ચાલુ કરી દીધું છે ત્યારે બીજી તરફ અમદાવાદના ખાડિયા વિસ્તાર જે ભાજપનો ગઢ કહેવાય તેમાં જ હવે ભંગાણ પડ્યું છે અને કાર્યકરો માં નારાજગી વ્યાપી છે.તેવામાં ભાજપના ખાડિયા વોર્ડના કોર્પોરેટર મયુર દવે ને ભાજપના કાર્યકરે જ ભ્રષ્ટ અને વહીવટદાર ગણાવ્યો છે અને ભાજપના કાર્યકર મયંક ડબગર દ્વારા હાઇકમાન્ડ એટલે કે ભાજપના વરિષ્ઠ નેતા આઈ.કે.જાડેજા ને પત્ર લખ્યો છે અને પત્ર માં જણાવ્યું છે કે ખાડિયા વોર્ડના ભાજપના કોર્પોરેટર મયુર દવે થી ભાજપ પક્ષને નુકશાન થઈ શકે છે અને તેમના દ્વારા રેસિડેન્સ મકાનો ને કોમર્શિયલ બાંધકામો પેટે મંજૂરી અપાવી મસ મોટા રૂપિયા લઈ રહ્યા છે.
મયંક ડબગર દ્વારા આ બાબતને લઈ ને સત્ય ડે ન્યૂઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે નવા બાંધકામ બાંધવામાં વહીવટ કરી દખલગીરી કરવાનું કામ અને જો કોઈ વહીવટ ના આપે તો કોર્પોરેશન ના એસ્ટેટ ખાતા દ્વારા તેને સ્ટે આપી દેવામાં આવે કયાતો સીલ કરી દેવામાં આવે છે અને જ્યારે મયુર દવે જોડે સમાધાન કરી વહીવટ પતાવે ત્યારે જ તેને બિલ્ડીંગ બાંધવા દેવામાં આવતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.આ બાબતને લઈ ને સત્ય ડે ની ટીમ દ્વારા કોર્પોરેટર મયુર દવે નો સંપર્ક કરતા સત્ય ડે ન્યૂઝના પત્રકાર સાથે પણ તોછડાઈ થી વાત કરી હતી અને જણાવ્યું હતું કે આવી ફરિયાદો તો થતી રહે અને એ ફરિયાદો મારા જ પક્ષ ના લોકો કરાવી રહ્યા હોવાનું જણાવ્યું હતું.
બીજી તરફ આ બાબત ને લઈ ને ખાડિયામાં જ મોટા થઈ ને કોંગ્રેસ પક્ષ ને મજબૂતાઈ પર લઈ જનાર કોંગ્રેસ મહામંત્રી જગત ભાઈ શુકલા સાથે ચર્ચા કરતા તેમને પણ જણાવ્યું હતું કે આ બઉ જ ગંભીર બાબત કહેવાય અને જો પક્ષ માં જ આવો આંતરિક ભેદભાવ હોય તો આ કોર્પોરેટર દ્વારા સ્થાનિક રહીશો જોડે પણ આવું જ વલણ અપનાવતા હોવાનો આ જાગતો પુરાવો જ કહેવાય.
ફરિયાદ કરનાર મયંક ડબગર દ્વારા ભાજપ પક્ષના શહેર પ્રમુખ જગદીશ પંચાલ સાથે પણ રૂબરૂ મુલાકાત કરતા તેમને પણ જણાવ્યું હતું કે ખાડિયા માંથી કોર્પોરેટર મયુર દવે ની વિરુદ્ધમાં 50 થી વધુ અરજીઓ આવેલ છે જે બાબતે અમો પણ હાલ એ બાબત ઉપર વિચારી જ રહ્યા છે કે કોર્પોરેટર મયુર દવે ને ટીકીટ આપવી જોઈએ કે ના આપવી જોઈએ.