Gujarat: આજે ભાજપ નો ૪૫મો સ્થાપના દિવસ. સ્થાપના દિવસની વસ્ત્રાલમાં ઉજવણી કરવામાં આવી.
૬ એપ્રિલ ભારતીય જનતા પાર્ટી ના સ્થાપના દિવસ નિમિતે ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા સાહેબ અને વટવા વિધાનસભા ના લોકપ્રિય ધારાસભ્ય બાબુસિંહ જાદવજી ની અધ્યક્ષતા માં પદયાત્રા સ્વરૂપે પાર્ટી ના ધ્વજ સાથે પદયાત્રા વસ્ત્રાલ મેટ્રો ચાર રસ્તા થી શરૂ કરવામાં આવી હતી. અને પૂર્વ ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા ના નિવાસ સ્થાને પૂર્ણ થઈ હતી.
પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા તથા ધારાસભ્ય બાબુસિંહ જાદવ એ કાર્યકરો સાથે રેલી યોજી કરી ઉજવણી.
આ કાર્યક્રમમાં BJPના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા,વસ્ત્રાલ માં આવેલ BJP કાર્યાલય ધ્વજ લગાવીને કરી શરૂઆત કરવામાં આવી. બહુ મોટી સંખ્યા માં કાર્યકર્તા ઓ તથા ભાજપ નાં આગેવાનો જોડાયા હતા.
ધારાસભ્ય બાબુસિંહ જાદવે ભાજપના સ્થાપના દિવસે નિવાસ્થાને પાર્ટીના ધ્વજનો ધ્વજારોહણ કર્યું હતું
ભવ્ય રેલી કાઢી ને ભારત માતા કી જય નાં નારા લગાવ્યા..આ પ્રસંગે પ્રદીપસિંહ જાડેજા જણાવ્યું હતું કે,આજે બીજેપી સ્થાપના દિવસ છે.
આજે મોદી સાહેબ નેતૃત્વ હેઠળ દેશ મહાસત્તા બનવા જઈ રહ્યો છે.પરંતુ ક્ષત્રિય સમાજની રાજકોટની બેઠક પર પ્રદીપસિંહ બોલવાનું ટાળ્યું.પ્રદીપસિંહ ફક્ત બોલ્યા ‘થેંક્યું’ આજના દિવસે સમગ્ર કાર્યકરો દ્વારા માં ભારતી ને વંદન કરી ઉજવણી કરી.