અમિત શાહ અને નરેન્દ્ર મોદી વચ્ચે મનભેદ ટ્રામ્પના આગમન અને દિલ્હીના કોમી તોફાનો બાદ વધી ગયા છે. જેનો સીધો પડઘો ગુજરાતમાં સી આર પાટીલને ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવવા સુધી દેખાય છે. બન્ને વચ્ચે હમણાંથી સારી બોડી લેન્વેઝ જોવા મળતી નથી. અમિત શાહ જો દિલ્હીમાં સરકારી બેઠક કરી શકતા હોય તો તેઓ ગુજરાતમાં કોરોના અંગે કોઈ બેઠક કરી નથી. ગુજરાતમાં છેલ્લા 4 મહિનાથી તેઓ આવ્યા નથી કે આવવા દેવાયા નથી. વળી, અમદાવાદની રથયાત્રામાં અમિત શાહ હાજરી આપવા આવવાના હતા અને લાખો લોકો સુધી તેનો જશ તેમને મળવાનો હતો. પહેલા હાઈકોર્ટથી એકવોકેટે જાહેરાત કરીને રથયાત્રા નિકાળવા માટે તૈયારી થઈ ગઈ છે. પણ એકાએક રથયાત્ર રદ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. રથયાત્રા કાઢવાનું નક્કી હતું અને એકાએક તે રદ કરી દેવા માટે દિલ્હીના આ બે નેતાઓ વચ્ચેનું અંતર કારણ માનવામાં આવે છે.
ખૂશી નથી
સંદ્રકાંત પાટિલ, અમિત શાહની સાથે નથી. તેઓ અમિત શાહને ચાહતા પણ નથી. તેથી તેમની નિયક્તિ નરેન્દ્ર મોદીએ કરી છે. અમિત શાહે સી આર પાટીલની નિમણુંકને આવકારી નથી. કોઈ પ્રત્યાઘાતો આપ્યા નથી. આ ઘણાં મોટા સંકેત છે. જ્યારે સી આર પાટીલની નિયુક્તિ થઈ ત્યારે ગુજરાતના મુખ્ય પ્રધાનને તેમની નિમણુંકને આવકારતું નિવેદન કર્યું ત્યારે તેમનો ચહેરો ઉતરી ગયેલો હતો. તેઓના ચહેરા પર સહેજ પણ ખૂશી ન હતી. સામાન્ય રીતે તેઓ જ્યારે રાજકીય વાત કરતાં હોય છે ત્યારે આ રીતે નિસ્તેજ ચહેરો જોવા મળતો નથી. વળી જીતુ ભાઈ વાઘાણીએ આવકાત આપતું નિવેદન કેમેરા સામે કર્યું ત્યારે તેઓ પણ મુંજવણમાં હોય તે રીતે બોલતા હતા. એકની એક વાત તેઓ વારંવાર બોલતા હતા. વળી તેમને એક પણ પત્રકાર દ્વારા એક પણ પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો ન હતો. તેમણે સામેથી કહ્યું હતું કે કંઈક પૂછો ત્યારે પત્રકારોએ કોઈ પ્રશ્ન કર્યો ન હતો.
વિખવાદથી વિલંબ
આ બધા સંકેતો અમિત શાહ અને નરેન્દ્ર મોદી તરફની વધી રહેલી ખાઈ તરફ જઈ રહ્યાં છે. સી આર પાટીલની નિયુક્તિ ભાજપના અમિત શાહના જૂથે કલ્પી ન હતી. તેમના જૂથ દ્વારા જે નામો આપવામાં આવ્યા હતા તે ડિસેમ્બર 2019માં આપી દેવાયા હતા. તેમ છતાં તે નામ જાહેર કરાયું ન હતું. તેનું દેખીતું કારણ એ છે કે જે નામ નક્કી કરાયું હતું તેની સાથે વડાપ્રધાન મોદી સહમત ન હતી. તેથી આ નિયુક્તિ ડિસેમ્બરમાં પૂરી થઈ જવી જોઈતી હતી પણ ન થઈ. છ-સાત મહિના પછી જૂલાઈ 2020માં નિયુક્તિ થઈ છે. જે નામ આવ્યું છે તે અમિત શાહ જુથની કલ્પના બહારનું નામ છે. હવે ગાંધીનગરમાં પણ ફેરફાર થશે ત્યારે પણ નામની કલ્પના અમિત શાહ જૂથે કરી નહીં હોય એવું નામ હશે.
14 મહિનામાં અમિત શાહ જે પ્રકારે રાષ્ટ્રીય ફલક પર ઊભરીને સામે આવ્યા છે, તેને જોઈને એવું કહેવું ખોટું નહીં હોય કે મોદીના પડછાયા સિવાય તેમણે પોતાના સ્વતંત્ર વ્યક્તિત્વનો પરિચય આપ્યો છે. આ પડછાયો હવે સુરતની સૂર્ય પૂત્રી તાપીના કાંઠેથી લુપ્ત થઈ રહ્યો છે.