બાબા રામદેવે આખરે નોટબંદી ને લઇ ને ચુપ્પી તોડી છે નોટબંદી નો નિર્ણય આવકાર્ય જરૂર છે પણ બંકો ના અધિકારીઓ અને કાળુંનાણું ધરાવતા કરોડપતિ એક થઇ જતા અબજો નું કાળુંનાણું સફેદ થઇ ગયું છે આ વાત બાબા રામદેવે એક ટી.વી ચેનલ ના ઇન્ટરવ્યૂ માં જણાવી હતી અગાઉં બાબા રામદેવ જ એક વ્યક્તિ હતી કે તેઓએ રૂ.1000 અને રૂ.500 ની નોટો બંધ કરવા સરકાર ને રજુઆત કરી હતી અને તેનાથી કાળુંનાણું રાતોરાત નાબૂદ થઇ જશે ની વાત કરી હતી પરંતુ નોટબંદી ના અમલ બાદ કાળા બજારિયા અને બેન્કોએ જ એક થઇ કૌભાંડ કરતા માત્ર ગરીબો અને મધ્યમ વર્ગ ના લોકો ને જ હેરાન થવા નો વારો આવ્યો છે.અને કરોડપતિઓ એ ઘરબેઠા જ કરોડો ની બે નંબર ની કેશ નવા ચલણ માં કન્વર્ટ કરાવી લીધી છે પરિણામે ATM અને બેન્કો ની પાસે ગરીબો ને આપવા માટે નાણાં નથી.બાબા એ કહીંયુ છે કે બેન્કો અને કાળાનાણાં ધરાવતા લોકો ની સાઠગાંઠ છે


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.