ગુજરાત રાજ્ય સહિત દેશભરમાં યુવા કોંગ્રેસ અને કોંગ્રેસ ની વિદ્યાર્થી પાંખ એન.એસ.યુ.આઈ. દ્વારા શહેરે શહેરે JEE અને NEET ની પરીક્ષાનો વિરોધ કર્યો હતો જેમાં ગુજરાત કોંગ્રેસ ના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ જોડાયા હતા.અમદાવાદમાં ગુજરાત યુનિવર્સીટી સહિત કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ કોંગ્રેસ ના કાર્યકર્તાઓ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા તેમછતાં કોંગ્રેસ ની મનની મનમાં જ રહી ગઈ.
કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે સરકાર કોઈપણ પ્રકાર ના ચોક્કસ આયોજન વિના અનધડ રીતે કોરોના કાળ માં વિદ્યાર્થીઓની પરીક્ષા લઈ ને વિદ્યાર્થીઓના જીવ સાથે રમત રમી રહી છે.પરંતુ બીજી તરફ 40 ટકા થી વધુ વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપવા તૈયારીઓ દેખાડી હતી.
તાજેતરના અપડેટ મુજબ, 10 લાખથી વધુ ઉમેદવારોએ પ્રવેશ કાર્ડ ફક્ત 24 કલાકમાં ડાઉનલોડ કરી દીધું છે, અગાઉ એનટીએ દ્વારા સૂચિત કરવામાં આવ્યું છે કે 15.97 લાખ ઉમેદવારોએ તબીબી પ્રવેશ પરીક્ષણ માટે નોંધણી કરાવી છે. NEET પરીક્ષા દેશભરના 3842 પરીક્ષા કેન્દ્રોમાં લેવામાં આવશે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે વિદેશના ઉમેદવારો ભારત આવી શકે છે અને પરીક્ષા આપી શકે છે.
ત્યારે ગુજરાત રાજ્ય ના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા પણ કહેવામાં આવ્યું કે મંગળવાર થી શરૂ થતી JEE અને NEET ની પરીક્ષાઓ લેવાશે અને તેના માટે ની સંપૂર્ણ તૈયારીઓ તંત્ર દ્વારા પુરી કરી દેવામાં આવી છે.