તહેવારોની મોસમ પૂર્વે કેન્દ્ર સરકારે અર્થતંત્રમાં તેજી લાવવા માટે આજે અનેક મહત્વની જાહેરાતો કરી છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આજે એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે અર્થવ્યવસ્થામાં માંગ વધારવા માટે અનેક પગલા લેવામાં આવી રહ્યા છે. જેમાં સરકાર કેશ વાઉચર અને ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમ લઈને આવી છે. આ અંતર્ગત, કેન્દ્ર સરકાર અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે તેના તમામ કર્મચારીઓને 10,000 રૂપિયા અગાઉથી આપશે. સરકારના આ પગલાથી લગભગ 1 કરોડ કેન્દ્રીય કર્મચારીઓને તહેવાર પર ખર્ચ કરવા માટે વધારાના નાણાં મળશે.
સરકાર એલટીસી ટિકિટ ફેરના બદલામાં તેના કર્મચારીઓને 12% અથવા વધુ જીએસટી સાથે માલ ખરીદવા માટે રોકડ આપશે. કેન્દ્ર સરકાર આ પર 5675 કરોડ ખર્ચ કરશે. આ સિવાય પીએસયુ અને બેન્કો આ 1900 કરોડ રૂપિયા ખર્ચ કરશે. નાણાં પ્રધાન કહે છે કે આનાથી અર્થવ્યવસ્થામાં 19 હજાર કરોડ રૂપિયા આવશે. જો રાજ્યો પણ આ દિશામાં પગલાં લેશે તો 9 હજાર કરોડ રૂપિયા વધારાના બજારમાં આવશે. તેમણે કહ્યું કે, જો ખાનગી ક્ષેત્ર પણ તેના કર્મચારીઓને રાહત આપે તો અર્થવ્યવસ્થામાં કુલ રૂપિયા 1 લાખ કરોડને પાર કરી શકે છે.
1) આર્થિક પ્રવૃત્તિઓને ગતિશીલ બનાવવા કેન્દ્ર સરકાર રાજ્યોને 12 હજાર કરોડ રૂપિયાની વ્યાજ મુક્ત લોન આપશે. આ લોન 50 વર્ષમાં પરત કરી શકાશે.
2) કેન્દ્રીય કર્મચારીઓને એલટીસીના બદલામાં અપાયેલા વાઉચર 31 માર્ચ 2021 સુધી ખર્ચ કરવા પડશે, જેના દ્વારા તેઓ ડિજિટલ ખરીદી કરી શકશે.
3) કેન્દ્ર સરકાર રસ્તા, સંરક્ષણ ઇન્ફ્રા, પાણી પુરવઠા અને શહેરી વિકાસ માટે વધારાના 25 હજાર કરોડ રૂપિયા આપશે. બજેટમાં આ ક્ષેત્રો માટે 4.31 લાખ કરોડ ફાળવવામાં આવ્યા હતા.
ફેસ્ટિવલ એડવાન્સ 10 હપ્તામાં પાછા આપી શકાશે.
છઠ્ઠા નાણાપંચ સુધી ફેસ્ટિવલ એડવાન્સની વ્યવસ્થા હતી. આ અંતર્ગત કર્મચારીઓને રૂ. 4,500 ચૂકવવામા આવતા હતા. તે નોન-ગેઝેટેડ માટે હતું. સાતમા પંચની તે માટે કોઈ જ વ્યવસ્થા નહોતી. પરંતુ હવે તે એક સમય માટે પુનર્જીવિત થઈ રહી છે. હવે તે બધાને લાગુ પડશે. આ અંતર્ગત કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓને 10,000 રૂપિયા આપવામાં આવશે. કર્મચારી તેને 10 હપ્તામાં પરત આપી શકે છે. જેને 31 માર્ચ 2021 સુધીમાં ખર્ચ કરવા પડશે. તેને 10,000 રૂપિયાના પ્રીપેડ રૂપે કાર્ડ તરીકે આપવામાં આવશે. તે વ્યાજ મુક્ત રહેશે. તે ગમે ત્યાં ખર્ચ કરી શકાય છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓ પર 4,500 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. જો રાજ્ય સરકાર પણ આ યોજનાનો અમલ કરશે તો 8,000 કરોડ રૂપિયાનો વધારાનો બોજો પડશે.