પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ ના માધ્યમથી ગુજરાતમાં રાજકોટમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઇમ્સ)નો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ)એ જણાવ્યું હતું કે, સંસ્થાને 201 એકરથી વધુ જગ્યા ફાળવવામાં આવી છે અને તે લગભગ 1,195 કરોડ રૂપિયાના ખર્ચે હશે. આ સંસ્થાનું નિર્માણ 2022ના મધ્ય સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. પીએમઓના જણાવ્યા અનુસાર, આ આધુનિક હોસ્પિટલમાં 750 બેડ હશે, જેમાંથી 30 બેડ આયુષ બ્લોકમાં હશે. તેમાં એમબીબીએસ કોર્સ માટે 125 અને નર્સિંગ કોર્સ માટે 60 બેઠકો હશે.
વડાપ્રધાન મોદીએ બુધવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, “31 ડિસેમ્બરે સવારે 11 વાગ્યે રાજકોટમાં એઇમ્સનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટથી ગુજરાતમાં આરોગ્ય સેવાઓની માળખાગત સુવિધાઓમાં સુધારો થશે. આ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્યમંત્રી અશ્વનીકુમાર ચૌબે પણ સામેલ થશે.