મોદી આજે આસામની તેઝપુર યુનિવર્સિટીના 18માં પદવીદાન સમારોહમાં આજે 10.30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કરશે. પીએમઓની રજૂઆત મુજબ આ પ્રસંગે આસામના રાજ્યપાલ જગદીશ મુખી, કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલ ‘ નિશંક’ અને આસામના મુખ્યમંત્રી સર્વનંદ સોનોવાલ પણ ઉપસ્થિત રહેશે.
2020માં પાસ થયેલ 1,218 લોકોને ડિગ્રી એનાયત કરવામાં આવશે, એવું જાણવા માં આવ્યું હતું. ડિપ્લોમા અને વિવિધ સ્નાતક અને અનુસ્નાતક કાર્યક્રમોના ૪૮ ટોપર ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. પદવીદાન સમારોહમાં કોવિડ-19ને ધ્યાનમાં રાખીને જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.
પીએચડીના વિદ્વાનો અને ગોલ્ડ મેડાલીસ્ટોને જ વ્યક્તિગત રીતે તેમની ડિગ્રી અને ગોલ્ડ મેડલ મળશે અને બાકીના પ્રાપ્તકર્તાઓને વર્ચુલી ડિગ્રી અને ડિપ્લોમા એનાયત કરવામાં આવશે, એમ પીએમઓએ જણાવ્યું હતું.