પાટીદાર સમાજ પણ નરેશભાઈના સમર્થનમાં છે કે નહીં એ અંગે પણ હું કંઈ ના કહી શકું.નરેશભાઈને સમર્થન આપવા બાબતે અમે સાથે મળીને નક્કી કરીશું વિધાનસભા ચૂંટણીના દોઢ વર્ષ પહેલાંથી, એટલે કે જૂન, 2021થી રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે. જૂનમાં ખોડલધામ ખાતે લેઉવા-કડવા પાટીદારોના અગ્રણીની બેઠક મળી હતી. આ બેઠક બાદ નરેશ પટેલે કહ્યું હતું કે આગામી ચૂંટણીમાં ગુજરાતનો મુખ્યમંત્રી પાટીદાર હોય એવું ઇચ્છીએ છીએ તેમજ નરેશ પટેલે પણ રાજનીતિમાં આવવાનો ઈશારો કર્યો છે, પરંતુ સાથે સમાજ કહેશે તો જોડાઈશ એવું પણ કહ્યું છે.યોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બાદ ઊંઝા ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ, સૌથી વડીલ, વગદાર અને વટવૃક્ષ મણિકાકા પટેલ ઉર્ફે મમ્મી સાથે એક્સક્લૂઝિવ વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે ધાર્મિક સંસ્થાએ જે શાસનમાં હોય તેમની સાથે રહેવું પડે.અત્યારે પાટીદાર સમાજના આગેવાનો સક્રિય થયા છે અને બીજી તરફ 2022નું વિધાસભા ચૂંટણી પણ નજીક છે. જેથી પાટીદાર સમાજ કયા પક્ષને સમર્થન કરશે એ અંગે અનેક જાતના તર્કવિતર્ક ચાલી રહ્યા છે, ત્યારે મણિકાકા પટેલે જણાવ્યું હતું કે ઉમિયાધામ કેમ્પસ અને ઉમિયા માતાજી મંદિર શિલાન્યાસ મહોત્સવમાં તમામ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના આગેવાનો, તમામ રાજકીય પક્ષોને પણ નિમંત્રણ આપવામાં આવ્યું છે.મણિકાકા પટેલઃ અમે નરેશ પટેલને પણ આમંત્રણ આપ્યું છે. તેમના રાજકારણમાં જોડાવા અંગે હું કંઈ ના કહી શકું, આ તેમનું અંગત મંતવ્ય છે કે તેઓ રાજનીતિમાં જોડાય કે નહીં. પાટીદાર સમાજ પણ નરેશભાઈના સમર્થનમાં છે કે નહીં એ અંગે પણ હું કંઈ ના કહી શકું. સમર્થન હશે કે નહીં એ બાબતે અમે સાથે મળીને નક્કી કરીશું. અત્યારે એ બાબતે કોઈ નિર્ણય કર્યો નથી.
મણિકાકા પટેલે જણાવ્યું કે આ વિષય મારો વિષય નથી, હું માત્ર ઉમિયા માતા સંસ્થામાં સેવભાવ અને ધાર્મિક દૃષ્ટિએ જોડાયેલો છું. મંદિર અને રાજકારણને દૂર રાખવા જોઈએ. કોઈપણ ધર્મ સંસ્થા, ધર્મ સંસ્થાની રીતે ચાલે એમાં જે કોઈ પક્ષો હોય, જે શાસનમાં હોય તેની સાથે રહેવું પડે એ રીતે ઉમિયા માતા સંસ્થા કે કોઈપણ સંસ્થાએ રહેવું પડે.
89 વર્ષના મણિકાકા પટેલ ઉર્ફે મમ્મી પાટીદાર સમાજના એક સક્રિય આગેવાન છે. છેલ્લાં 50 વર્ષથી પાટીદાર સમાજની સંસ્થા સાથે સંકળાયેલા છે. અત્યારે તેઓ ઊંઝા ઉમિયાધામના પ્રમુખ છે. આગામી દિવસમાં સોલા ઉમિયા કેમ્પસ ખાતે ઊંઝા ઉમિયાધામ દ્વારા 1500 કરોડના ખર્ચે ઉમિયાધામનું નિર્માણ કરવામાં આવશે. લક્ષચંડી યજ્ઞ પણ તેમની અધ્યક્ષતામાં થયો હતો. 89 વર્ષની ઉંમરે પણ સમાજની સંસ્થાઓમાં સક્રિય મણિકાકા પટેલ રાતે મોડા સુધી ગામેગામે પ્રવાસ કરીને લોકોને જોડવાનું કામ કરે છે. ખૂબ જ સ્વચ્છ છબિ ધરાવતા મણિભાઈ પટેલનું સમાજમાં પણ ખૂબ માન છે. લોકો તેમને ખુબ જ આદરથી બોલાવે છે.