સચિન પાયલટની ઘર વાપસી થઇ છે. છેલ્લા એક મહિનાથી રાજસ્થાનમાં ચાલી રહેલ રાજકીય સંકટ છેલ્લે ખતમ થઇ ગયો છે. કોંગ્રેસથી થયેલ વાટાઘાટના ત્રણ દિવસ પછી આજે મુખ્યમંત્રી અશોક ગહલોત અને પૂર્વ ઉપમુખ્યમંત્રી સચિન પાયલટ હવે સામે સામે આવી ગયા છે. તો બીજી તરફ રાજધાની જયપુરમાં કોંગ્રેસ ધારાસભ્ય પક્ષની બેઠકનુ આયોજન કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યુ છે કે આ બેઠકનુ આયોજન વિધાનસભા કા તો મુખ્યમંત્રીના ઘરે આ બંને માંથી ગમે તે એક જગ્યા ઉપર થઇ શકે છે. આ બેઠકમાં બાકીના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેશે. આ બેઠકનુ લક્ષ્ય બંને જૂથો સાથે વાત કરવાનુ છે. તેવામાં એ જોવુ મહત્વનુ રહેશે કે બંને પક્ષ કેવી રીતે મળે છે.
14 ઓગસ્ટે વિધાનસભા સત્ર
બુધવારના રોજ ગેહલોત જુથના ધારાસભ્યો જેસલમેરથી જયપુર આવી ગયા છે. તેમને જયપુરની ફેયરમોંટ હોટલમાં રાખવામાં આવ્યા છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પણ રહેશે હાજર
કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ આજે જયપુરની હોટલમાં પહોંચશે. અને ધારાસભ્ય પક્ષની બેઠકમાં પણ ઉપસ્થતિત રહેશે. આ બેઠકમાં પ્રદેશ પ્રભારી અવિનાશ પાંડે, પાર્ટી પ્રવક્તા રણદીપ સુરજેવાલ અને અજય માકન પણ સામેલ થશે.