ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યા બાદ અેક પછી અેક વિવાદ સામે અાવ્યા છે.ખાતા ફાળવણીની ભારે ખેંચતાણ બાદ નિતીન પટેલની નારાજગી દૂર થઇ ત્યાંજ ભાજપના વધુ એક દિગ્ગજ નેતાએ પોતાની નારાજગી જાહેર કરી છે. રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકી છેલ્લી પાંચ ટર્મથી ભાવનગર ગ્રામ્યથી ચૂંટાઇને આવતા નેતા છે.પરસોત્તમ સોલંકીને માત્ર મત્સ્ય ઊદ્યોગ ખાતું ફાળવતા પોતાની નારાજગી ખૂલીને વ્યક્ત કરી છે.
પરસોત્તમ સોલંકી કોળી સમાજના નેતા છે. તેમણે ખાતા ફાળવણીને લઇને પોતાની નારાજગી મુખ્યમંત્રીને મળવા સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા હતા. તેમ છતા જો વધુ ખાતા નહી ફાળવાય તો સમાજ કહેશે તેમ કરીશ તેવું તેમણે જણાવ્યું હતું.પરસોત્તમ સોલંકી નારાજ નથી પણ કોળી સમાજ નારાજ છે.
ભુપેન્દ્રસિંહ અને પરસોત્તમ સોલંકી વચ્ચે અા મુદે મળ્યા હતા.તેમની નારાજગી દુર કરવાના પ્રયાસો હાથ ધરાયા હતા.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.