આજે 20 ફેબ્રુઆરીએ દેશમાં મિઝોરમ અને અરુણાચલ પ્રદેશનો સ્થાપના દિવસ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક દિગ્ગજ નેતાઓએ આ ખાસ પ્રસંગને શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિ કોવિંદે એક ટ્વીટમાં લખ્યું છે કે, “અરુણાચલ પ્રદેશના સ્થાપના દિવસે તમામ લોકોને મારી શુભકામનાઓ. રાજ્યનું કુદરતી સૌંદર્ય જોવાલાયક છે. તેના સાંસ્કૃતિક લેન્ડસ્કેપમાં વંશીય આદિવાસી જૂથો અને ભાષાઓની વિશ્વનો સૌથી સમૃદ્ધ વિવિધતા છે.’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેઓ ઇચ્છે છે કે રાજ્યમાં વિકાસ ઝડપી થાય.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને બંને રાજ્યોને શુભેચ્છા અને સન્માન આપ્યું છે. તેમણે પોતાના પ્રથમ ટ્વીટમાં મિઝોરમને અભિનંદન પાઠવેલ અને લખ્યું કે, “મિઝોરમની મારી બહેનો અને ભાઈઓને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા. સમગ્ર દેશને મહાન મિઝોરમ સંસ્કૃતિ પર ગર્વ છે. મિઝોરમના લોકો તેમની દયા અને પ્રતિબદ્ધતા માટે જાણીતા છે, જે પ્રકૃતિ સાથે સુમેળથી રહે છે. હું રાજ્યના સતત વિકાસ માટે પ્રાર્થના કરું છું. ‘
પોતાના અન્ય ટ્વીટમાં તેમણે અરુણાચલને પણ શુભેચ્છા આપી છે. પ્રધાનમંત્રી મોદીએ એક ટ્વીટમાં કહ્યું હતું કે, “અરુણાચલ પ્રદેશના અદ્ભુત લોકોને તેમના રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે અભિનંદન. આ રાજ્યના લોકો તેમની સંસ્કૃતિ, હિંમત અને ભારતના વિકાસ પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતા માટે જાણીતા છે. હું આશા રાખું છું કે અરુણાચલ પ્રદેશ પ્રગતિની નવી ઊંચાઈઓ હાંસલ કરશે.
ગૃહમંત્રી અમિત શાહે પણ બંને રાજ્યોને તેમના સ્થાપના દિવસ પર અભિનંદન આપ્યા છે. તેણે બે ટ્વીટ કર્યા છે. પ્રથમ ટ્વીટમાં તેમણે લખ્યું છે કે, “મિઝોરમની અમારી બહેનો અને ભાઈઓને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર ઉષ્માભરી શુભેચ્છા. મિઝોરમ રાજ્યમાં કુદરતી સૌંદર્ય અને જીવંત સંસ્કૃતિ છે. હું રાજ્યની સતત પ્રગતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરું છું”. અન્ય એક ટ્વીટમાં તેમણે અરુણાચલ પ્રદેશના લોકોને શુભેચ્છા આપી છે. તેમણે લખ્યું હતું કે, “અરુણાચલ પ્રદેશના લોકોને રાજ્ય દિવસની શુભેચ્છા. ઉગતા સૂર્યની ભૂમિ તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને દેશભક્તિના ઉત્સાહ માટે જાણીતી છે.