છેલ્લા ઘણા વર્ષથી ભાજપ અને કોંગ્રેસનું ખરીદ વેચાણ નો સિલસિલો ચાલી રહ્યો છે.ઇલેક્શન નજીક આવે ત્યારે ભાજપ હોય કે કોંગ્રેસ એક બીજા ના કાર્યકર્તાઓ અને નેતાઓને ખરીદ વેચાણ કરવાનો એક ટ્રેન્ડ ચાલી રહો છે જેને લઈ ને મતદારો પણ ક્યાંય ને ક્યાંય નારાજ દેખાતા હોય છે.
હાલમાં 8 વિધાનસભાની પેટા ચૂંટણી ને લઈ ને ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો 8 એ 8 સીટ જીતવાનો દાવો કરી રહી છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ ના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું નેતૃત્વ જ ડામાડોળ છે અને પોતાના જ કોંગ્રેસ ના કાર્યકરો અને નેતાઓ અમિત ચાવડાને હટાવવા માટે લોબિંગ શરૂ કરી દીધું છે.બીજી તરફ અમિત ચાવડા એવો દાવો કરી રહ્યા છે કે કોંગ્રેસ પક્ષ પેટા ચૂંટણી ની આઠ એ આઠ સીટ જીતશે તો હવે જોવાનું એ રહ્યું કે ભાજપ બાજી મારશે કે કોંગ્રેસ ?
એક તરફ સરકારની ગાઈડલાઈન નું જ્યારે ભાજપ ના નેતાઓ અને કાર્યકરો માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગ નું પાલન ન કરે તો આ જ કોંગ્રેસ ના પ્રદેશ પ્રમુખ વિરોધ કરવા નીકળી પડતા હતા ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પોતે જ જાહેર કાર્યક્રમ માં માસ્ક પણ પહેર્યા વગર બેઠા હતા અને સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઉડાડયા હતા ત્યારે સવાલ એ ઉભા થયા છે કે શુ નિયમો ફક્ત ને ફક્ત આમ જનતા માટે જ છે ? વિરોધ કરતું કોંગ્રેસ જ આ નિયમો નું પાલન ન કરે તો સામાન્ય જનતા ને શુ સમજાવવાના ?