ઠાકોર સેનાને વિશ્વાસમાં લીધા વગર કોંગ્રેસમાં ભળીને અલ્પેશ ઠાકોર ચૂંટણી લડ્યા હતા. ત્યાર બાદ અલ્પેશ ઠાકોર સાથે જૂલાઈ 2018માં ઠાકોર સેનાના મૂળ સ્થાપક એવા રમેશ ઠાકોર અને ગુજરાતના ઠાકોર સેનાના બીજા એક ડઝન નેતાઓની બેઠક કરી હતી. જેમાં અલ્પેશ ઠાકોરને કહી દેવામાં આવ્યું હતું કે તમે રાજકારણમાં નહીં જવાના દિકરાના સોગંદ લીધા હતા. તેમ છતાં રાજકારણમાં ગયા છો. તમે કોંગ્રેસમાં શોદાબાજી કરીને ગયા, પણ ઠાકોર સેનાને કેમ વિશ્વાસમાં લેવામાં આવી ન હતી. શું કારણ એવું ઊભું થયું કે કોંગ્રેસ સાથે તમે જોડાયા. અલ્પેશ ઠાકોરને 10 મુદ્દાની જાહેર સ્પષ્ટતા કરવા માટે ઠાકોર સમાજ દ્વારા કહેવામાં આવ્યું હતું. જેનો આજે 7 મહિનાથી 2 ફેબ્રુઆરી 2019 સુધી કોઈ જવાબ આપ્યો નથી. તેથી હવે અલ્પેશ ઠાકોરની ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના છોડીને નવી રોયલ સેના ઊભી કરવામાં આવી છે. જેની જાહેરાત આવતીકાલે ગાંધીનગરમાં કરવામાં આવશે. જૂન 2018માં મળેલી બેઠકમાં ઠાકોર સેનાના બિન રાજકીય પ્રતિષ્ઠિત આગેવાનો હાજર હતા. જેમાં પ્રવિણસિંહ, પાટણના કેવળજી, સુરત જીલ્લા ઠાકોર સેના અધ્યક્ષ વગેરે હતા. ઠાકોર સેના ઊભી કરનારા રમેશ ઠાકોર આગેવાની લઈ રહ્યાં છે. જે હાલ ઉપ્રમુખ છે. તેમણે જ અલ્પેશ ઠાકોરને ચહેરો બનાવવાનું નક્કી કર્યું હતું. પણ તે મુખવટો બની ગયો છે.
શું છે એ 10 મુદ્દા કે જેનાથી ઠાકોર સેના તૂટી
1 – રાજકીય બેઠકો માટે ઠાકોર સેનાનો ઉપયોગ નહીં કરવા નક્કી કરાયું હતું છતાં કેમ ઊપયોગ કર્યો છે અને હજુ યાત્રામાં કરવામાં આવી રહ્યો છે.
2 – જે નિર્ણયો લેવામાં આવ્યા છે તે ઠાકોર સેનાની મંજૂરી મેળવ્યા વગર લેવામાં આવ્યા છે. તેની સ્પષ્ટતા કરો કે કોંગ્રેસ સાથે ભળી જવાના કયા કારણો હતા અને કોંગ્રેસ સાથે શું નક્કી થયું હતું. કોઈ રાજકીય ખેસ નહીં પહેરવાનું નક્કી થયું હોવા છતાં કેમ પહેરવામાં આવ્યો. કોઈ પક્ષને બહારથી ટેકો આપવાનો હતો.
3 – ઠાકોર સેનાનો કોઈ કાર્યક્રમ કરવાનો હોય તો તે માટે કોર સમિતિની મંજૂરીથી જ કરવો. તે કેમ થતો નથી. જ્યાં પણ કાર્યક્રમ થાય ત્યાં ઠાકોર સેનાના તમામ હોદ્દેદારોના ફોટો મૂકવા તે કેમ મૂકવામાં આવતાં નથી. અને રથ યાત્રા કાઢવામાં આવી છે.
4 – જે ઠાકોર ધારાસભ્યો ચૂંટાયા છે તેના વિસ્તારના સ્થાનિક ઉદ્યોગોમાં ભરતી કરવા માટે કેમ કંઈ થતું નથી.
5 – 2011થી ઠાકોર સેનાની નોંધણી થઈ તેમાં કોઈને વિશ્વાસમાં લીધા વગર કેમ એકલાએ જ નિર્ણયો લીધા છે.
6 – ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનામાં કોઈ રાજકીય વ્યક્તિઓને હોદ્દો આપવો નહીં એવું નક્કી થયું હોવા છતાં તેમ તમે તેને વળગી રહ્યાં છો. તમારા રાજકીય ધારાસભ્યોને હોદ્દા કેમ આપ્યા છે. જે ઠાકોર નીતિ વિરદ્ધમાં છે.
7 – ગુજરાત ઠાકોર સેનાની નવેસરથી પ્રદેશ કોર સમિતિ અને હદ્દેદારો નકકી કરીને જાહેરાત કરવી.
8 – ઠાકોર સેના ચલાવવી છે કે બંધ કરવી છે. જો ચલાવવી હોય તો કઈ રીતે ચલાવવી તે નક્કી કરો.
9 – સમાજ માટે નિસ્વાર્થ ભાવે સેવા કરે એવા જ લોકોની નિમણૂક કરવી.
10 – રાજકારણમાં નહીં જવા માટે અલ્પેશ ઠાકોર તમારા પૂત્રના સોગંદ લીધા હતા. ખોડિયાર માના સોગંદ લીધા હતા કે રાજકારણમાં નહીં જોડાઉ, તો પછી કેમ જોડાયા. સુરજદાદાનાના સોગંદ ખાધા હતા કે રાજકારણમાં નહીં જોડાઈએ, તો પછી કેમ રાજકારણમાં જોડાઈને સમાજના નામે શોદાબાજી કરી રહ્યાં છો.
આ 10 મુદ્દાનો અલ્પેશ ઠાકોરે કોઈ જવાબ આજ સુધી ન આપતાં હવે અલ્પેશ ઠાકોરના કારણે સેનામાં ભંગાણ થયું છે અને સારા લોકો રમેશ ઠાકોર સાથે રહીને નવી સેના ઊભી કરી દીધી છે. જે સમાજમાં જાગૃતિ લાવવા માટે કામ કરશે. કુરીવાજો દૂર કરવા માટે કામ કરશે. ખરા અર્થમાં વ્યસન મૂક્તિ માટે કામ કરશે.
2017માં અલ્પેશ ઠાકોરે સરમુખ્યતારીશાહી અપનાવી તેથી ઠાકોર સમાજના સમજૂ અને ખરેખર સમાજ માટે કામ કરવા માંગે છે અને રાજકારણ કરવા માંગતા નથી તે લોકો નવું સંગઠન ઊભું કરી રહ્યાં છે.
અલ્પેશ ઉપમુખ્ય પ્રધાન બનવા માંગતો હતો
રમેશભાઈ ઠાકોર કહે છે કે, અલ્પેશને સમાજે સમર્થન આપ્યું છે. પણ તેમણે દગો – વિશ્વાસઘાત કર્યો છે. તેના 10 મુદ્દાની સ્પષ્ટતા કરવા માટે 7 મહિનાનો સમય આપ્યો હતો. તેમ છતાં તેની કોઈ સ્પષ્ટતા કરવાના બદલે તે ફરી 2019ની લોકસભાની ચૂંટણીની શોદાબાજી કરી રહ્યાં છે. ઠાકોર સેનાને મેં ઊભી કરી છે. અલ્પેશને ચહેરો બનાવ્યો હતો. હવે તે મહોરું બની ગયો છે. હું ઉપ્રમુખ છું અને બીજા હોદ્દાદારો છે છતાં તેમને હવે વિશ્વાસમાં લેવામાં આવતાં નથી. વારંવાર પૂછવા છતાં અમને 10 મુદ્દાના કોઈ જવાબ આપવામાં આવતાં નથી. તેને માત્ર પૈસા સિવાય કોઈ મતલબ નથી. અમે સમાજ માટે પૈસા વાપરીએ છીએ તે પૈસા ભેગા કરવા સિવાય કંઈ કર્યું નથી. અમે અલ્પેશ ઠાકોર કરતાં વધું ભોગ આપેલો છે. હવે ઠાકોર સમાજના લોકો અલ્પેશની ઢોંગી નીતિથી ત્રાસી ગયા છે. તેનો અસલી ચહેરો બહાર આવી ગયો છે. એમ ઠાકોર સેનાના ઉપપ્રમુખ રમેશ વિરભણભાઈ ઠાકોરે જણાવ્યું હતું. જે સારા કાર્યકર હતા તે ઠાકોર સેના છોડી રહ્યાં છે. લોકસભાની ચૂંટણી પહેલાં ઠાકોર સમાજને તે વેંચી દે તે પહેલાં અમે તેનાથી અલગ થવાનો નિર્ણય લીધો છે. તેમ રમેશભાઈ ઠાકોરે જણાવ્યું હતું. રમેશજી ઠાકોરે ગાંધીનગરમાં ઠાકોર સમાજના અગ્રણી એવા એસ. પી. ઠાકોર સાથે મળીને નવો મોરચો માંડ્યો છે. તેમની અંગત લાલસાથી સમાજે ઘણુ ગુમાવ્યું છે. ચૂંટણી સમયે ભાજપ તરફથી સમાજના નેતાઓને સારું સ્થાન આપવાની વાતો કરાઈ પરંતુ અલ્પેશે ડેપ્યુટી સીએમનું પદ માંગ્યુ અને સમાજે ઘણું બધુ ગુમાવ્યું છે. તેમ તેમણે જણાવ્યું હતું.
યુવાનોનો આક્રોશ
ઠાકોરસેનાના જોરે ધારાસભ્ય બનેલાં અલ્પેશ ઠાકોર સામે ઠાકોર યુવાઓમાં આક્રોશ ભભૂક્યો છે. તેમજ ઠાકોર સેનામાં તડા પડ્યા છે. ભાજપ સરકાર સાથે રાજકીય સેટિંગ કરે છે. તેથી અલ્પેશ ઠાકોરની ખરાબ રાજનીતિથી કંટાળી ઠાકોર યુવાઓ ક્ષત્રિય ઠાકોર સેનાને નવું રુપ આપવામાં આવ્યું છે.
ધવલ ઠાકોરને ઉપપ્રમુખ જાહેર કરતાં ભડકો
અલ્પેશ ઠાકોરે નવું સંગઠન કર્યું જાહેર કર્યું તેમાં બાયડના કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને પ્રદેશ ઉપ્રમુખ બનાવાયા છે. સંગઠનમાં ત્રણ ઉપપ્રમુખ અને 5 મહામંત્રી છે. ગોવિંદસિંહ ઠાકોર પ્રદેશમંત્રી પદે છે. નવા સંગઠનમાં 25 સભ્યોને સમાવાયા છે. ગાંધીનગર ઉત્તરથી ચુટંણી લડેલા ગોવિંદસિંહ ઠાકોરને પ્રદેશ મંત્રી બનાવ્યા છે. આમ રાજકીય વ્યક્તિઓને હોદ્દેદાર ન બનાવવાનું નક્કી હોવા છતાં રાજકીય વ્યક્તિઓને સ્થાન આપતાં ઠાકોર સેનામાં વિવાદ થયો હતો. અલ્પેશ ઠાકોરની નીતિના કારણે બે ભાગલા થયા છે. જેમાં સમાજના સમજુ લોકો હવે અલ્પેશ સાથે નથી. નારાજ જૂથનુ કહેવું છે કે અલ્પેશ જાણ કર્યા વિના કોંગ્રેસમાં જોડાયો હતો.