ગૃહમંત્રી અમિત શાહ શનિવાર રાતથી AIIMSમાં દાખલ છે. તેને લઇ એમ્સે કહ્યું છે કે અમિત શાહ સંસદ સત્ર પહેલાં સંપૂર્ણ ચેકઅપ માટે એક થી બે દિવસ માટે હોસ્પિટલમાં દાખલ થયા છે. 55 વર્ષના અમિત શાહને શનિવાર રાત્રે 11 વાગ્યે દાખલ કરાયા હતા. આની પહેલાં 18 ઑગસ્ટના રોજ અમિત શાહ કોવિડ-19થી સાજા થયા બાદ આગળની સારવાર માટે એમ્સમાં દાખલ થયા હતા. અમિત શાહ 12 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ હતા. ત્યારબાદ તેમને 31 ઑગસ્ટના રોજ ડિસ્ચાર્જ કરાયા હતા.
રિપોર્ટના મતે શનિવાર રાત્રે શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ અમિત શાહને શનિવારના રોજ રાત્રે 11 વાગ્યે એમ્સમાં દાખલ કરાયા છે. એમ્સના એક સૂત્ર એ કહ્યું કે એ શ્રેષ્ઠ હશે કે થોડાંક સમય માટે અમિત શાહ હોસ્પિટલમાં રહે જ્યાં ડૉકટરની દેખરેખ હેઠળ તેમની સારવાર થઇ શકે.