અમરેલી જીલ્લાના દરિયાઈ કાંઠા વિસ્તારના નવા ચુંટાયેલા કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેરે સરકારમાંથી મળનારા પગાર-ભથ્થાની રકમ દરિયાઈ કાંઠાના વિસ્તારના લોકોની સુખ સુવિધા માટે શિક્ષણ-આરોગ્ય સાથે માછીમારો માટે વાપરવાના સંકલ્પથી અમરેલી જીલ્લાના પ્રથમ ધારાસભ્ય ડેરે જાહેરાત કરી છે.
અમરેલી જીલ્લાનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર એટલે રાજુલા જાફરાબાદ વિસ્તાર છેલ્લા 20 વર્ષથી ભાજપના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ચૂંટાઈ આવતા હતા. પણ આ 2017ની ચૂટણીમાં કોંગ્રેસના નવયુવાન અંબરીશ ડેર ચુંટાઈ આવતા ચુંટણી ટાઇમે આપેલ વચન નિભાવવા કટીબધ બન્યા છે. અને ધારાસભ્યને મળતી પગાર ભથ્થાની રકમ પોતે ન સ્વીકારીને એક સમિતિ બનાવીને પગાર ભથ્થાની રકમ શિક્ષણ-આરોગ્ય સાથે જાફરાબાદમાં માછીમારી કરતા સમાજના લોકો માટે ઉપયોગ કરવાની જાહેરાત કરી છે.
રાજુલા પંથકનો વિસ્તાર શિક્ષણથી અલિપ્ત હોય સાથે દરિયાઈ વિસ્તારના ખારાપાટને કારણે જનતાની આરોગ્ય માટે ધારાસભ્ય પોતાના પગાર-ભથ્થાનો સદઉપયોગનું આપેલ વચન નિભાવવાની જાહેરાત કરી છે.
રાજુલા પંથકમાં અનેક કંપનીઓ આવેલી છે જે કંપનીઓ લોકોના આરોગ્ય કે શિક્ષણ માટે કશું કરતી ન હોવાથી કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેરના પગાર-ભથ્થા લોકોની સુખ સુવિધા માટે વાપરવાના છે. ત્યારે જુનાગઢના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ બાદ પગાર-ભથ્થા સદ્કાર્યમાં વાપરનારા કોંગ્રેસના પ્રથમ ધારાસભ્ય અમરેલી જીલ્લાના અંબરીશ ડેર બન્યા છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.