ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. ગુજરાતમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ નવા વર્ષથી જ પાટીદાર અનામત આંદોલનને ફરી ધમધમતું કરવાના છે. જેના ભાગરૂપે હાલમાં જ બોટાદના પાટીદાર અનામત આંદોલન સમિતિની એક બેઠક મળી હતી. જેમાં પાસની કોર કમિટીને રદ કરી દેવામાં આવી છે. તેમજ આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાંથી ૧૮૨ લોકોના સુવ્યવસ્થિત સંગઠનની રચના કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ પાસ સંગઠનના વિરોધમાં ગયેલા તમામ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
હાર્દિક પટેલે જણાવ્યું હતું કે આ આંદોલન વ્યકિતગત આંદોલન નથી સમાજ અને યુવાનોના ભવિષ્ય માટે છે. આ ઉપરાંત આ મીટીંગમાં પાટીદાર અનામત આંદોલન માટે જીલ્લા અને તાલુકા સ્તર સુધીનું સંગઠન તૈયાર કરવામાં આવ્યું છે. જેમાંપાટીદાર અનામત આંદોલનને હવે પછીના તબક્કામાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વધુ વેગવાન બનાવવાના પ્રયાસ કરવામાં આવશે. પાટીદાર અનામત આંદોલનને હવે ધીરે ધીરે જિલ્લા અને તાલુકા મથક સુધી લઈ જવાનું આયોજન કરવામાં આવશે. જેના થકી સરકાર પર દબાણ વધારીને ખેડૂતોના અને અનામતના પ્રશ્ને સકારાત્મક વલણ ઉભું કરવાના પ્રયાસ કરવામાં આવશે. અા નવા વર્ષે પાટીદાર અનામત અાંદોલનને વધુ મજબૂત અને ઉગ્ર બનાવવામાં અાવશે


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.