લોકસભાની ચૂંટણીના અનુસંઘાને કોગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ બારડોલી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીના પ્રચારાર્થે આવ્યા હતા અને પત્રકારો સાથે વાતચીત કરી હતી. અહેમદ પટેલે અનેક મુદ્દાઓ પર પત્રકારોના પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા. પંજાબ સરકારના મંત્રી નવજોત સિદ્વુએ અનાવલમાં જાહેરસભાને સંબોધન કર્યું હતું.
વ્હોટ્સ અપ પર ચાલી રહેલા રૂપિયાના ટ્રાન્ઝેક્શન અંગે મહેશ માંડવિયા કે અન્ય કોઈ દ્વારા ચલાવવામાં આવી રહેલા મેસેજ મારા અંગે અહેમદ પટેલે જવાબ આપ્યો હતો કે મહેશ માંડવિયા છે કે અન્ય કોઈ છે, જે કોઈ પણ હોય અને જેણે આ કૃત્ય કર્યું છે તો આ માણસને શોધી આપનારને કોંગ્રેસ એક લાખ રૂપિયાનું ઈનામ આપશે.
દિલ્દીમાં ગઠબંધનને લઈ અહેમદ પટેલે કહ્યું કે દિલ્હીમાં આપ સાથે સમાધાનને કોંગ્રેસ પ્રમુખે લીલીઝંડી આપી છે. દિલ્હીમાં આપ ચાર અને કોંગ્રેસ ત્રણ સીટ પર ચૂંટણી લડવા માટે ઓફર કરી છે. જ્યારે પંજાબ અને હરીયાણામાં કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે. દિલ્હીમાં કોંગ્રેસના યુનિટને રાજી કરવામાં આવ્યું છે.
તેમણે કહ્યું કે કોંગ્રેસે ક્યારેય કોમવાદની રાજનીતિ કરી નથી. ભાજપ ભાગલવાદી રાજકારણ કરે છે. કોંગ્રેસને મુસ્લિમોએ ખોબે ખોબે ભરીને વોટ આપ્યા તો કોંગ્રેસે મુસ્લિમોનો ક્યારેય ઉદ્વાર કર્યો નથી તેવા વિજય રૂપાણીના આક્ષેપ અંગે સવાલ પૂછાતા અહેમદ પટેલે કહ્યું કે અમારે ગુજરાતના ચીફ મિનિસ્ટર પાસેથી સર્ટીફિકેટ લેવાની જરૂર નથી કે કોંગ્રેસે શું કર્યું છે તે તેઓ જાણે છે. કોંગ્રેસે કોમવાદની રાજનીતિ કરી નથી. દરેક ભારતીયને ધ્યાનમાં રાખીને રાજનીતિ કરી છે.
રાહુલ ગાંધીને ચૌકીદાર તૌર હૈ અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી નોટીસ અંગે અહેમદ પટેલે કહ્યું કે બીજા ઘણા બધા એવિડન્સ છે, જેના આધારે રાહુલ ગાંધીએ વાત કરી છે અને હાલ આ જ્યુડિશિયલ મેટર છે એટલે વધારે ટીપ્પણી કરવી અયોગ્ય છે.