બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન અને રાજ્યની વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે મુખ્યપ્રધાન નીતિશ કુમાર પર ગંભીર આરોપો લગાવ્યા છે.
લાલુપ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવે નીતિશ કુમાર પર આરોપ લગાવ્યો છે કે તેમના ભોજનમાં નશીલા પદાર્થ અને ઝેર સુધીની વસ્તુઓ મિલાવવાની કોશિશ કરવામાં આવી છે. તેજસ્વી યાદવે આરોપો લગાવતા બિહારના મુખ્યપ્રધાન પર જાસૂસી કરાવાવનો આરોપ પણ લગાવ્યો છે. મહત્વપૂર્ણ છે કે, તાજેતરમાં તેજસ્વી યાદવના ભાઈ તેજપ્રતાપ યાદવે નીતિશ કુમાર પર ભૂત છોડવાનો આરોપ લગાવતા પોતાનું સત્તાવાર નિવાસસ્થાન છોડ્યું છે. તેજપ્રતાપ યાદવ પર પ્રતિક્રિયા આપતા બિહારના નાયબ મુખ્યપ્રધાન સુશીલકુમાર મોદીએ જણાવ્યુ છે કે જે લોકો ખુદ ભૂત છે. તે ભૂતની વાત કરે છે.