CM રૂપાણી અને ડેપ્યુટી CM નીતિન પટેલ વચ્ચે મતભેદ અને મનભેદ હવે સ્પષ્ટ પણે સામે અાવી રહ્યા છે. અેક પત્રકાર પરિષદમાં ખુરશી જેવી નજીવી બાબતે બંને વચ્ચે તકરાર જોવા મળી હતી. હાલ પક્ષમાં બે જૂથ છે. જેમાં પ્રથમ જૂથ નીતિન પટેલનું છે જે પાટીદાર સમુદાયમાંથી આવે છે અને હાલમાં જ પાટીદાર અનામત આંદોલન બાદ ભાજપ માટે તે મહત્વના બન્યા છે. તેમજ તે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના ખાસ માનવામાં આવે છે . જયારે બીજુ જૂથ ભાજપ અધ્યક્ષ અમિત શાહનું છે જે વેપારી સમુદાયમાંથી આવે છે. જો કે ગુજરાતમાં જોવા જઈએ અનેક વિસ્તારોમાં આજે પણ તેમનો દબદબો જોવા મળે છે.
મહત્વપૂર્ણ નિર્ણયો લેવાના હોય કે પત્રકાર પરિષદ સંબોધવી હોય CM રૂપાણી અને ડેપ્યુટી CM નીતિન પટેલ કોઈ ને કોઈ વાત પરથી મતભેદ દેખાવા લાગ્યા છે.પહેલાતો અા બધુ બંઘ બારણે અાટોપી લેવાતુ પણ હમણાથી ખાતાફાળવણી મુદે જે મડાગાંઠ પડી હતી ત્યારબાદ તો CM રૂપાણી અને ડેપ્યુટી CM નીતિન પટેલ જાહેરમાં જ નારાજગી બતાવવા લાગ્યા છે.
ડેપ્યુટી CM નીતિન પટેલ પાસેથી ખાતાફાળવણી મુદે મનભેદ ઉકેલવા માટે અમિતશાહને વચ્ચે પડવું પડ્યું હતુ અને અેમણે જ્યારે નાણામંત્રાલય ડેપ્યુટી CM નીતિન પટેલ પાસેથી લઈ લીધુ હતુ તે પરત કરવું પડ્યું હતું. અામ અેક રીતે ડેપ્યુટી CM નીતિન પટેલનું કદ ઓછું અાંકવાની CM રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ અમિતશાહને ભારે પડ્યું હતું.
અા વાત પછી હવે ડેપ્યુટી CM નીતિન પટેલ પોતાની વાત મનાવવા તત્પર રહે છે. અને CM રૂપાણી અને ડેપ્યુટી CM નીતિન પટેલ વચ્ચે છાશવારે તકરાર થઈ જાય છે. જોવાનું અે છે કે અા અાંતરિક વિખવાદનો કોઈ અંત અાવશે કે કેમ


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.