વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ કોંગ્રેસ પાર્ટીએ સોશિયલ મીડિયા હેન્ડલ પર પોતાનો પ્રોફાઈલ ફોટો બદલ્યો છે. કોંગ્રેસે તિરંગા સાથે પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનો ફોટો લગાવ્યો છે. સ્વતંત્રતા દિવસ પહેલા કોંગ્રેસે ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ પ્રોફાઇલ ફોટો બદલ્યો છે. આ સાથે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પણ પોતાના પ્રોફાઇલ ફોટોમાં તિરંગા સાથે પંડિત નેહરુની તસવીર લગાવી છે.
કોંગ્રેસે પંડિત નેહરુના ફોટો સાથે એક ખાસ સંદેશ શેર કર્યો છે
તિરંગા સાથે પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનો ફોટો શેર કરીને એક ખાસ સંદેશ પણ આપવામાં આવ્યો છે. કોંગ્રેસે ટ્વિટર પર લખ્યું, ‘તિરંગો આપણા હૃદયમાં છે, તે આપણી નસોમાં લોહીની જેમ છે. 31 ડિસેમ્બર, 1929ના રોજ પંડિત નેહરુએ રાવી નદીના કિનારે તિરંગો લહેરાવતી વખતે કહ્યું હતું કે, ‘હવે તિરંગો ફરકાવવામાં આવ્યો છે, તેને નમવું ન જોઈએ’. આવો આપણે સૌ આ ત્રિરંગાને આપણી ઓળખ બનાવીએ, જે દેશની અખંડ એકતાનો સંદેશ આપે છે. જય હિન્દ. #MyTirangaMyPride’
કોંગ્રેસે પંડિત નેહરુના ફોટો સાથે એક ખાસ સંદેશ શેર કર્યો છે
देश की शान है, हमारा तिरंगा
हर हिंदुस्तानी के दिल में है, हमारा तिरंगा pic.twitter.com/lhm0MWd3kM— Rahul Gandhi (@RahulGandhi) August 3, 2022
તિરંગા સાથે પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનો ફોટો શેર કરીને એક ખાસ સંદેશ પણ આપવામાં આવ્યો છે. કોંગ્રેસે ટ્વિટર પર લખ્યું, ‘તિરંગો આપણા હૃદયમાં છે, તે આપણી નસોમાં લોહીની જેમ છે. 31 ડિસેમ્બર, 1929ના રોજ પંડિત નેહરુએ રાવી નદીના કિનારે તિરંગો લહેરાવતી વખતે કહ્યું હતું કે, ‘હવે તિરંગો ફરકાવવામાં આવ્યો છે, તેને નમવું ન જોઈએ’. આવો આપણે સૌ આ ત્રિરંગાને આપણી ઓળખ બનાવીએ, જે દેશની અખંડ એકતાનો સંદેશ આપે છે. જય હિન્દ. #MyTirangaMyPride’
तिरंगा हमारे दिल में है, लहू बनकर हमारी रगों में है। 31 दिसंबर, 1929 को पंडित नेहरू ने रावी नदी के तट पर तिरंगा फहराते हुए कहा था, ‘अब तिरंगा फहरा दिया है, ये झुकना नहीं चाहिए'
आइए हम सब देश की अखंड एकता का संदेश देने वाले इस तिरंगे को अपनी पहचान बनाएं।जय हिंद#MyTirangaMyPride pic.twitter.com/NwgIMUHpp4
— Congress (@INCIndia) August 3, 2022
જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘મન કી બાત’ના 91મા એપિસોડમાં દેશવાસીઓને 2 ઓગસ્ટથી 15 ઓગસ્ટની વચ્ચે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રોફાઇલ ફોટો તરીકે ત્રિરંગો મૂકવાની અપીલ કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ એક જન આંદોલનમાં ફેરવાઈ રહ્યો છે.