આજે કોંગ્રેસમાં ઘણા નવા સમાચાર મળી રહયા છે આજે જ નવજોત સિંહ સિદ્ધુએ પંજાબના કોંગ્રેસ પદ પરથી રાજીનામું આપી દીધું છે.બીજી બાજુ કેપ્ટન અમરિન્દર સિંહ અમિત શાહની નજીક જવાની કોશિશમાં છે એ સંજોગોમાં હવે રાહુલ ગાંધીની હાજરીમાં જીગ્નેશ મેવાણી અને કનૈયા કુમાર કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. બંનેના સ્વાગત માટે પાર્ટી ઓફિસમાં પોસ્ટર્સ પણ લગાવવામાં આવ્યા છે.
બંને યુવા નેતાઓને કોંગ્રેસમાં સામેલ કરતા પહેલાં પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી શહિદ ભગત સિંહ પાર્ક પહોંચ્યા હતા અને ત્યાં તેમણે શહિદ ભગતસિંહની પ્રતિમાને માળા પહેરાવીને શ્રદ્ધાંજલિ આપી હતી.
જેએનયુ સૂત્રોચ્ચાર કેસ બાદ ચર્ચામાં આવેલા કન્હૈયા કુમાર અને ગુજરાતના દલિતનેતા જિજ્ઞેશ મેવાણી મંગળવારે કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસમાં આ યુવા ચહેરાઓની એન્ટ્રી એવા સમયે થઈ રહી છે જ્યારે નેતાઓ વચ્ચે પાર્ટી સાથે સંબંધ તોડવાની હોડ જામી છે.
હાલમાં જ રાહુલ ગાંધીના નજીકના માનવામાં આવતા જ્યોતિરાદિત્ય સિંધિયા, જિતિન પ્રસાદ, સુષ્મિતા દેવ, પ્રિયંકા ચતુર્વેદી અને લલિતેશપતિ ત્રિપાઠી જેવા ઘણા યુવા ચહેરાઓએ કોંગ્રેસ છોડી દીધી છે. શર્મિષ્ઠા મુખર્જીએ આ અઠવાડિયે રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. અહીં થોડા દિવસોથી ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર પણ કોંગ્રેસમાં જોડાશે એવી ચર્ચા છે. જ્યારે કોંગ્રેસમાં યુવા નેતાઓની કોંગ્રેસમાં એક જ સમયે એન્ટ્રી અને એક્ઝિટથી સવાલ ઊભા થઈ રહ્યા છે કે શું પાર્ટી પોતાના ભવિષ્યના ચહેરાઓને લઈને હજી પણ મૂંઝવણમાં છે?