ભરૂચ લોકસભામાં કોંગ્રેસે છેવેટે કૂલડીમાં ગોળ ભાંગ્યું છે. જબરદસ્ત ચર્ચા હતી કે અહેમદ પટેલ 30 વર્ષ બાદ ભરૂચ લોકસભાની ચૂંટણી લડશે પરંતુ છેવટે અહેમદ પટેલ મેદાન છોડીને જતાં રહ્યા અને પોતાના વિશ્વાસુ અને જિલ્લા પંચાયત પણ જીતી ન શકે અને ત્રણ વખત ધારાસભાની ચૂંટણી હારી ગયેલા પીડી વસાવાને ટીકીટ આપી દીધી છે. હવે ભરૂચમાં ત્રણ વસાવા વચ્ચે જંગ મંડાયો છે.
ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે.
છોટુ વસાવા પોતાની પાર્ટી સાથે ઉભા છે અને હવે કોંગ્રેસના પીડી વસાવા વચ્ચે ભરૂચના જંગ જોવા મળવાનો છે. અહેમદ પટેલ મેદાન છોડીને જતા રહેતા અને પીડી વસાવાને ટીકીટ આપવામાં આવતા મુસ્લિમ સમાજમાં અહેમદ પટેલ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાંથી મુસ્લિમ સમાજને એક પણ ટીકીટ આપવામાં આવી નથી. અને અહેમદ પટેલે ચૂંટણી લડવાનો આદેશ આપવામાં આવ્યો હતો પરંતુ છેક છેલ્લી ઘડીએ અહેમદ પટેલે પગ વાળી લેતા કોંગ્રેસમાં મોટા પાયા પર રોષ ફાટી નીકળ્યો છે. સોશિયલ મીડિયા પર પીડી વસાવા અને અહેમદ પટેલ સામે રોષ ઠાલવવામાં આવી રહ્યો છે.