કોંગ્રેસ ના ધારાસભ્યો જયપુર પહોંચ્યા : જીતુ ચૌધરી ના પણ ધામા હાલમાં રાજકીય માહોલ ચરમસીમા એ છે. ત્યારે રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણીમાં ભાજપે ત્રણ ઉમેદવાર ઊભા રાખ્યા બાદ ગુજરાત કોંગ્રેસના 5 ધારાસભ્યોએ ધારાસભ્યપદેથી રાજીનામું આપતા કોંગ્રેસ હવે બેકફૂટ પર આવી ગઈ છે. જેથી આજે ગુજરાત કોંગ્રેસના 33ધારાસભ્યો સ્પાઈસજેટ, ઈન્ડિગો અને ગો એર ફ્લાઈટમાં જયપુર જવા રવાના થઇ ગયા છે. ત્યારે વલસાડ ના જીતુ ચૌધરી પણ જયપુર પહોંચી ગયા છે જેઓ ની જે વાતો ચાલતી હતી તેનો અંત આવ્યો છે તેમની સાથે ભરતસિંહ સોલંકી ઉપરાંત સિદ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડીયા, અમિત ચાવડા પણ જયપુર પહોંચી ગયા છે. જો કે અમદાવાદ એરપોર્ટ પરકોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર ભરતસિંહ સોલંકી મીડિયાને કોઈપણ પ્રકારનું નિવેદન આપ્યા વિના નીકળી ગયા હતા. આ સમયે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે અમારા બન્ને ઉમેદવાર જીતશે. અમારી પાસે પૂરતું ગણિત અને રણનીતિ છે. ત્યાર બાદ સાંજે 9 વાગ્યે પરેશ ધાનાણી અને ભગવાન બારડ પણ જયપુર જવા રવાના થયા હતા.કોંગ્રેસે 26 માર્ચ સુધી સુધી વિધાનસભામાંથી વોકઆઉટકરવાનો નિર્ણય કર્યો છે. આ ધારાસભ્યો 25 માર્ચની રાત સુધીમાં પરત આવશે આ. ધારાસભ્યો સાથે કોંગ્રેસના કેટલાક નેતાઓ પણ જયપુર જઈ રહ્યા છે, જ્યાંથી કેટલાક ધારાસભ્યો અને આગેવાનો દિલ્હી હાઈકમાન્ડને મળવા જશે.
Friday, May 17