Valsad: નવસારી, નિરંકારી સદગુરુ માતા સુદીક્ષા જી મહારાજની પ્રેરણાથી આજે વલસાડ સ્થિત નેશનલ હાઈવે નં.48, ‘માં’ રિસોર્ટ, નંદાવલા, ગુંદલાવ સ્થળ પર નિરંકારી બાળ સંત સમાગમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દક્ષિણ ગુજરાતથી આવેલા બાળ સંતોએ ભાગ લીધો.
અમદાવાદના ઝોનલ ઇન્ચાર્જ શ્રી ધર્મપાલ મોટવાની જી એ બાળ સંતો અને યુવાઓના ઉત્સાહની પ્રશંસા કરવાની સાથે જ તેઓના ઉજ્જવળ ભવિષ્યની કામના કરતા કહ્યું કે નિરંકારી સદગુરુ માતા સુદીક્ષા જી મહારાજ દિવ્ય શિક્ષાઓના માધ્યમથી બાળ સંતો અને યુવાઓને શ્રેષ્ઠ સંસ્કાર આપી રહ્યા છે, જેથી આવનારી પેઢી માત્ર પોતાના પરિવારનું જ નહી પરંતુ પોતાના દેશનું પણ નામ રોશન કરે અને સદગુરુ થી બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરી આધ્યાત્મને જીવનમાં અપનાવે. બાળકોને બાળપણથી જ સત્સંગમાં લાવવું ખુબ આવશ્યક છે કારણ કે ઘર-પરિવારમાં પ્રેમ અને સત્કાર હોય, આજ વ્યવહારિક શિક્ષા નિરંકારી મિશન આપી રહ્યું છે. આજના સમયમાં જ્યાં બાળકો કુસંગતિનો સંગ કરી લે છે અને પરિણામ સ્વરૂપ ઘરનું વાતાવરણ ખરાબ થઇ જાય છે જેથી બાળ સંત સમાગમોનો ઉદ્દેશ્ય દરેક સંતોને આધ્યાત્મિકતા તરફ પ્રેરિત કરવાનો છે.
યુવાઓની ઉર્જાને સકારાત્મક ઉર્જા પ્રદાન કરી દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકાય છે.
જો આમ ન કરવામાં આવે તો આ શક્તિ ખોટી રાહની તરફ અગ્રેસર થઇ જશે. નિરંકારી સદગુરુ માતા જી દેશભરમાં નિરંકારી યુથ તથા સીમ્પોઝીયમ અને બાળ સંત સમાગમના માધ્યમથી માનવતાને એજ શિક્ષા આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.
કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક બાળકોએ ગીત, ભજન, કવિતાઓ તથા લઘુ નાટિકાઓના માધ્યમથી પ્રેરક વિચાર વ્યક્ત કરી નિરંકાર પ્રભુ અને સત્સંગથી જોડાયેલા રહેવાની શિક્ષા આપી.
વલસાડ સેક્ટરના સંયોજક શ્રી ઉત્તમભાઈ ભાગલીયા જી એ બાળ સંત સમાગમમાં સંમિલિત દરેક બાળકો, અભિભાવકો, સેવાદળના સદસ્યો અને ત્યાં ઉપસ્થિત સાધ સંગતનો હ્રદયથી ધન્યવાદ કરતા કહ્યું કે બાળ સંત સમાગમના માધ્યમથી એજ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે બાળ સંતોમાં સેવા, સુમિરણ અને સત્સંગ ઉપરાંત સત્ય, એકત્વની ભાવના, ભાઈચારા જેવા ચારિત્રિક ગુણોનો પણ વિકાસ થાય અને સાથે જ સામાજિક ગુણોનો પણ વિકાસ થઇ શકે.