વિદેશની ધરતી ઉપર ફરી એક વખત રાહુલ ગાંધીએ કોંગ્રેસની ભુલોને સ્વીકારી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સ્વીકાર કર્યો છે કે અગાઉ તેમણે ભુલો કરી છે પરંતુ હવે દેશને એક નવી કોંગ્રેસ આપવાનો મારો ઇરાદો છે. જેમાં ભારત માટે એક પરિકલ્પના હશે તો તેને પુર્ણ કરવા માટે ઉત્સાહ અને રોડમેપ પણ બનશે. બહેરીનમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધન કરતા તેમણે આ વાત જણાવી હતી. રાહુલ ગાંધી બહેરીનમાં શરૂ થયેલ ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પીપલ ઓફ ઇન્ડિયન ઓરીજીનના ત્રણ દિવસના સમારોહના મુખ્ય મહેમાન હતા. સમારોહમાં પ૦ દેશોના પ્રતિનિધિઓ ભાગ લઇ રહ્યા છે. તેમનુ કહેવુ હતુ કે, કોંગ્રેસમાં મારા જેવા યુવાનો કામ કરી રહ્યા છે તો પુર્વ વડાપ્રધાન મનમોહન સિંહ જેવા અનુભવી પણ મોજુદ છે. તેમણે નોટબંધી પહેલા જ કહી દીધુ હતુ કે અર્થવ્યવસ્થાની ગતિ ર ટકા સુધી ઘટી જશે. રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે ગુજરાત ભાજપનો ગઢ છે. અમે ત્યાં મુદા આધારિત ચૂંટણી લડી. ભાજપ ગમે તેમ કરીને પોતાનો કિલ્લો બચાવવામાં સફળ રહ્યુ પરંતુ કોંગ્રેસ લોકો સમક્ષ મજબુતીથી ઉભી થઇ. રાહુલનું કહેવુ હતુ કે ભાજપને હરાવવાનુ મુશ્કેલ નથી. અમે મુદા આધારિત ચૂંટણી લડશુ અને સંસદના આગામી સત્રમાં ભાજપને ફરજ પાડશુ કે મહિલા અનામત બિલને સંસદમાં પસાર કરાવી કાનૂન બનાવવામાં આવે. રાહુલે કહ્યુ હતુ કે, દેશમાં આજે વિચિત્ર સ્થિતિ છે. સરકાર નોકરીઓ સર્જવામાં નિષ્ફળ ગઇ છે. લોકોમાં અત્યંત ગુસ્સો છે. સરકાર આનાથી બચવા માટે જાતિય અને ધાર્મિક ઉન્માદ પેદા કરાવી રહી છે. દેશમાં વિઘટનની સ્થિતિ પેદા થઇ રહી છે. મને વિશ્વાસ છે કે, ર૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપને હરાવી નવુ ભારતનું નિર્માણ કરીશુ.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.