ઇંગ્લેન્ડ સામેની મેચમાં ભારતીય ટીમ કેસરી રંગની ટી શર્ટ ધારણ કરીને મેદાનમાં ઉતરવાની છે ત્યારે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીને તેની પાછળ મોદી સરકારનું ભગવાકરણ દેખાયું છે અને તેમને ઍવી શંકા છે કે મોદી સરકારે જ ભારતીય ટીમ માટે કેસરી રંગની ટી શર્ટ પર ભાર મુક્યો હશે. બંને પાર્ટી બીસીસીઆઇ પર ઍવો આરોપ મુક્યો છે કે મોદી સરકારને ખુશ કરવા માટે આ રંગ પસંદ કરાયો છે. ભાજપે જા કે આ આરોપ ફગાવતા તેમને ટુંકી દૃષ્ટિના ગણાવ્યા હતા. આ તરફ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી)ઍ ઍવો ખુલાસો કર્યો છે કે આ કલર કોમ્બિનેશન તેમના તરફથી બીસીસીઆઇને મોકલાયું હતું.
સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીઍ કહ્યું હતું કે મોદી આખા દેશને ભગવા રંગમાં રંગી દેવા માગે છે. મોદીજીને હું કહેવા માગીશ કે ઝંડાને કલર આપનારો ઍક મુસ્લિમ હતો. ત્રિરંગામાં અન્ય રંગો પણ છે તો પછી માત્ર ભગવો રંગ કેમ પસંદ કરાયો. તિરંગાના રંગમાં ઍ જર્સી હોત તો તે વધારે સારી બાબત ગણાય હોત. તો કોંગ્રેસના માજી મંત્રી નસીમ ખાને કહ્યું હતું કે મોદી સરકાર જ્યારથી આવી છે ત્યારથી ભગવા રાજકારણ શરૂ થયું છે. તિરંગાને માન આપો. તેમાં રાષ્ટ્રીય ઍકતાને પ્રમોટ કરવામાં આવી છે. આ સરકાર બધી જ વસ્તોના ભગવાકરણ તરફ આગળ વધી રહી છે ઍવું તેમણે જણાવ્યું હતું.
જો કે કોંગ્રેસના જ અન્ય ઍક વરિષ્ઠ નેતા આનંદ શર્માઍ આ વાતને ગેરવાજબી ગણાવી હતી, તેમણે કહ્યું હતું કે ઍ કોઇ રાજકીય મુદ્દો નથી. જા ટીમ અને બીસીસીઆઇને કોઇ વાંધો નથી તો પછી ટીમ કેવા રંગના કપડા પહેરે તે કોઇ મુદ્દાની વાત નથી. ભાજપના પ્રવક્તા નલીન કોહલીઍ આ મામલે વિરોધ કરનારાઅોને ટુંકી દૃષ્ટિના ગણાવીને કહ્યું હતું કે તેમની પાસે કોઇ મુદ્દો નથી ઍટલે રંગોનું રાજકારણ કરી રહ્યા છે.