એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ બાબતે તેપાસ તેજ કરી દીધી છે. જેમાં ગંધી પરિવાર પણ આરોપી છે. સોમવારે ઈડીએ કોંગ્રેસ દ્વારા સ્થાપિત એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL), વરિષ્ઠ કોંગ્રેસ નેતા મોતીલાલ વોરા અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેંદ્ર સિંહ હુડા વિરૂદ્ધ મની લૉન્ડ્રિંગ કેસની તપાસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
સોનિયા અને રાહુલ ગાંધી વિરૂદ્ધ ઈન્કમટેક્સ વિભાગની તપાસ ચાલી રહી છે. બંને ને 2015માં એક ટ્રાયલ કોર્ટે જમાનત આપી હતી. કોંગ્રેસ નેતાઓ પર ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની તપાસ બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીની તપાસ બાદ શરૂ થઈ.
ટ્રાયલ કોર્ટ સમક્ષ ફરિયાદમાં સોનિયા, રાહુલ અને અન્ય પર નાણાકિય અનિયમિતતાઓનો આરોપ છે. AJL, વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓ દ્વારા નિયંત્રિત છે, જેમાં ગાંધી પરિવાર પણ છે. આ સમૂહ નેશનલ હેરાલ્ડ અખબાર ચલાવે છે.
ઈડીની ચાર્જશીટ ધનશોધન રોકથામ અધિનિયમના પ્રાવધાનો અંતર્ગત છે. ઈડીના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, પંચકૂલાના સેક્ટર 6માં પ્લોટ નંબર સી-17ની ખરીદૂ, કબજા સાથે સંકળાયેલી પ્રક્રિયામાં પ્રત્યક્ષ રીતે શામેલ થવાના કારણે આરોપિયોના નામે આરોપપત્ર છે.
અધિકારીઓએ જણાવ્યું કે PMLA અંતર્ગય તપાસમાં જણાવવા મળ્યું કે, પ્લોટને એજેએલને વર્ષ 1982નામાં ફાળવવામાં આવ્યો, પરંતુ તેને એસ્ટેટ અધિકારી એચડીએએ 30 ઓક્ટોબર 1992ને પાછો લઈ લેવામાં આવ્યો, કારણકે એજેએલને ફાળવણી પત્રની શરતોનું પાલન ન કર્યું. તેમણે કહ્યું કે 1996માં પુનર્વિચાર યાચિકા દાખલ કર્યા બાદ પુનર્ગ્રહણ આદેશ આપવામાં આવ્યા.
તેમણે કહ્યું, “હુડાએ તેમની આધિકારિક સ્થિતિનો દુરઉપયોગ કર્યો અને બેઈમાનીથી કાવતરું કરી પુનરઆવંટનની આડમાં નવેસરથી એજેએલને ફાળવણી કરી. તેને મૂળ કિંમતે આપવામાં આવ્યો અને જરૂરી શરતો અને હુડાની નીતિનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. આ આદેશ 28 ઑગષ્ટ 2005એ આપવામાં આવ્યો. ”
ઈડીએ સીબીઆઈના પ્રાથમિક આધારો પર 2016માં PMLA ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.