ગુજરાતના આદિજાતિ વિકાસ મંત્રી ગણપત વસાવાએ બારડોલી લોકસભા બેઠક માટે બાબેન ગામમાં વિજય સંકલ્પ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીનાં રાહુલ ગાંધીને ઝેર આપી દેવાનું નિવેદન કરતા ભારે વિવાદ ઉભો થયો છે. નેતાજીના બિગડે બોલને લઈ કોંગ્રેસીઓમાં ઉગ્ર પ્રત્યાઘાત પડેલા જોવા મળી રહ્યા છે.
ગણપત વસાવાએ વિજય સંકલ્પ સંમેલનમાં સંબોધન કરતા કહ્યું કે સોશિયલ મીડિયામાં કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીને ભગવાન શિવના અવતાર તરીકે દર્શાવવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધીને શિવના અવતાર હોવાનું દર્શાવનારને અન્ય એકે જવાબ આપ્યો હતો કે રાહુલ ગાંધીને 500 ગ્રામ ઝેર આપી દો, ચૂંટણી સુધી સમય કાઢી નાંખે તો અમે તેમને અવતાર માની લઈશું.
ચૂંટણીની મોસમ ખૂબ ખીલી છે ત્યારે નેતાઓના બિગડે બોલ આવનાર દિવસોમાં મોટા પાયા પર ઉત્પાત મચાવશે એ નક્કી છે. જાહેરસભાના મંચ પરથી બેફામ નિવેદનોની વણઝાર જોવા મળે તો નવાઈ પામવા જેવું રહેશે નહી.