મોરબીમાં પેટાચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. પેટાચૂંટણી માં ભાજપ અને કોંગ્રેસ ના ઉમેદવાર ફોર્મ ભરે તે પહેલા મોટી ઉલટસૂલટ જોવા મળી રહી છે. મોરબીની સીટ પર કોંગ્રેસની ટિકીટ માટેના પ્રબળ દાવેદાર કિશોર ચિખલીયાનું નામ કપાતા તેઓ પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે. કોંગ્રેસ જિ.પં.પ્રમુખ કિશોર ચીખલીયા આજે કોંગ્રેસ સાથે છેડો ફાડીને કાર્યકર્તાઓ સાથે ભાજપ મા જોડાયા છે. પેટાચૂંટણી ને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો છે. તેઓએ વિધિવત રીતે ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે.
આજે કોંગ્રેસ જિ.પં.પ્રમુખ કિશોર ચીખલીયા એ પાર્ટીના નેતાઓ પર મોટો આરોપ લગાવીને પોતાનું એક નિવેદન આપ્યું છે. ચીખલીયાએ લલિત કગથરા પર ટિકીટ વેચ્યાનો આરોપ લગાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ચીખલીયાના આરોપ પર લલિત કગથરાએ પણ પોતાનું મૌન તોડીને એક નિવેદન આપ્યું છે. લલિત કગથરાએ જણાવ્યું કે, પક્ષ પ્રત્યેના વલણના લીધે તેમની ટિકીટ કપાઈ હોય તેવું મને લાગી રહ્યું છે. જયંતિભાઈને પક્ષે વફાદારીનું ઈનામ આપ્યું છે. પક્ષ પલટુઓ સામે જનતામાં રોષ છે. ટિકીટ ન મળતા ચીખલીયા ભાજપમાં જોડાયા છે.
કિશોર ચીખલીયાના આક્ષેપ સામે લલિત કગથરાએ પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે વિસ્તૃત રીતે જણાવ્યું હતું કે, કોઈ ક્યારેય કોઈની ટિકીટ કાપી શકતું નથી. જયંતીભાઈને પક્ષ એ વફાદારીનું ઇનામ આપ્યું છે. પક્ષ પ્રત્યેના વલણના લીધે તેમની ટીકીટ કપાઈ હોઈ શકે. પક્ષ પલટુઓ સામે જનતામાં ઉગ્ર રોષ હાલ દેખાઈ રહ્યો છે. તેમણે મોરબી સહિત તમામ 8 બેઠકો પર કોંગ્રેસ જ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.