અઢી વર્ષથી પાટીદાર અનામત મુદ્દે ભાજપ સરકાર સામે લડત લડી રહેલા Hardik Patel હવે અનામત ઉપરાંત ખેડૂત અને યુવાનો ના મુદ્દે લોકોને જાગૃત કરશે તેમજ આ મુદ્દે પણ સરકાર વિરુદ્ધ આંદોલનના મંડાણ કરશે.જે પગલે હાર્દિક પટેલે વડાલી તાલુકા ના કન્વીનર અને યુવા આંદોલનકારી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. તેમજ આંદોલનને મજબુત બનાવવા માટે ગુજરાત ના તમામ તાલુકા માં મુખ્ય ૨૧ લોકોની ટીમ બની રહી છે.આ ટીમ અનામત,ખેડૂત અને યુવાનો ના મુદ્દે લોકોને જાગૃત કરશે.જે મુદ્દા ની લડાઈ છે તે લડાઈ વધુ આક્રમક બનાવીશું. આ ઉપરાંત હાર્દિકે જણાવ્યું હતું કે તમામ સમાજના લોકો ખુબ જ સહયોગ આપી રહ્ય પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાસના સંયોજક હાર્દિક પટેલ સહિતના લોકો સામે નોંધાયેલા રાજદ્રોહના કેસની સુનાવણી સેશન્સ કોર્ટમાં હાથ ધરાઈહતી, જેમાં બચાવ પક્ષની દલીલો પૂરી થતાં સેશન્સ જજ ડી. પી. મહિડાએ વધુ સુનાવણી 2 ફેબ્રુઆરીના રોજ રાખી હતી. મંગળવારે હાથ ધરાયેલી સુનાવણીમાં હાર્દિક પટેલના એડવોકેટ રફીક લોંખંડવાલાએ રજૂઆત કરી હતી કે, હાર્દિકનાં નિવેદનો અને સભાઓમાં આપેલાં ભાષણો જોતાં રાજદ્રોહનો કોઈ ગુનો બનતો નથી.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.