ખાતા ફાળવણીને લઈને ભાજપમાં ખેંચતાણ ચાલી રહી હતી. અેક પછી અેક નેતાઓ નારાજ થયાના સમાચાર હતા હવે લગભગ બધાજ વિવાદો શમી ગયા છે.શહેરના ધારાસભ્ય જેઠા ભરવાડના સમર્થકોએ પ્રધાનમંડળમાં સમાવવાની માંગ કરી છે, પરંતુ હાલ તે માની ગયા છે તેને મનાવવામાં સંગઠનના એક નેતા સફળ થયા છે. જેઠા ભરવાડે પણ ભાજપ મોવડીમંડળથી નારાજ નહીં હોવાનો દાવો કર્યો છે.
સૌપ્રથમ નીતિન પટેલ બાદમાં પરસોતમ સોલંકી અને હવે જેઠા ભરવાડ પ્રધાનમંડળમાં સ્થાનને લઈને નારાજ મનાતા હતા. જોકે જેઠા ભરવાડને મનાવવામાં પાર્ટીને સફળતા મળી છે અને તેની સ્પષ્ટતા માટે તેમણે કમલમની મુલાકાત લીધી.
જેઠા ભરવાડે કહ્યું કે, હું નારાજ નથી. મારી કોઈ નારાજગી નથી. પરંતુ મારા કાર્યકરોની લાગણી હતી કે મને પ્રધાનમંડળમાં સ્થાન આપવામાં આવે. તેમણે કહ્યું કે, નારાજ કાર્યકરોએ મોવડીમંડળને રજૂઆત કરવી જોઈએ. જેઠા ભરવાડે દાવો કર્યો કે હું સત્તાની લાલચ માટે રાજકારણમાં નથી આવ્યો. પ્રધાનપદનો કોઈ લોભ નથી. રવિવારે મતવિસ્તારમાં જઈ કાર્યકરોને સમજાવીશ. સાથે જ જેઠા ભરવાડે આગામી વિધાનસભા ચૂંટણી નહીં લડવાની અને રાજકારણમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાની વાત કરી છે. જેઠા ભરવાડ શહેરા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા.હાલતો જેઠા ભરવાડે કહ્યું છે કે હું નારાજ નથી.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.