કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષ પલટો કરીને હવે મહેસાણા ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનાર આશા પટેલ 40 હજાર મતથી જીત મેળવવાનો દાવો કર્યો છે. આ સાથે અત્યારસુધી આશા પટેલના વિરોધમાં જેના સૂર જોવા મળ્યા હતા તે નારાયણ કાકા વિષે આશા પટેલે કહ્યુ કે નારાયણ કાકાના ચરણ સ્પર્શ કરીને હું ભાજપમાં આવી હતી.
મારી કોઇ ભૂલ થઇ હોય તો તે મને માફ કરે. આમ જાહેરમાં નારાયણ પટેલની માફી માંગી હતી. સાથે આશા પટેલે એવું ક્હ્યુ કે ભાજપમાં નારાયણ કાકાના આશિર્વાદ હરહંમેશ રહેશે. આ સાથે આશા પટેલે મતદારો નેતાને જોઇને આશીર્વાદ આપતા હોવાની વાત કરી હતી. અને જીત માટે વિકાસ અને પોઝિટીવ વાતને લઇને ચૂંટણી લડવાની વાત કરી હતી.