ભીમા-કોરેગાંવ ખાતે ભડકેલી હિંસાના મામલે મહારાષ્ટ્ર પોલીસે પૂના ખાતે જિગ્નેશ મેવાણી અને ઉમર ખાલિદ સામે ગુનો દાખલ કર્યો છે. ઉશ્કેરણીજનક ભાષણો કરીને સમાજના બે સમૂહો વચ્ચે હિંસા ભડકાવાના પ્રયાસ મામલે આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જિગ્નેશ મેવાણી અને ઉમર ખાલિદ પર આરોપ છે કે ભીમા-કોરેગાંવ ખાતે યોજાયેલી રેલી પહેલાં તારીખ 31મી ડિસેમ્બરના રોજ પૂના સ્થિત શનિવારવાડા ખાતે ઉશ્કેરણીજનક નિવેદનો કરવામાં આવ્યાં હતાં.
જિગ્નેશ મેવાણી અને ઉમર ખાલિદ સામે ઇન્ડિયન પીનલ કોડની કલમ 153 (એ), 505 અને 117 હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.