ઝારખંડની મુલાકાતે પહોંચ્યા જશોદાબેન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન શનિવાર સાંજે ઝારખંડના ગોડ્ડા પહોંચ્યા. તેઓ અહીં તેલી અધિકાર મહારેલીમાં શામેલ થવા માટે અહીં આવ્યા હતા. સ્થાનીક અતિથિ ભવનમાં રવિવારે તેમણે મીડિયા સાથે જુદા-જુદા મુદ્દાઓ પર વાત કરી. પ્રસ્તુત છે તેમની સાથેની વાતચીતના કેટલાક અંશ
મહારેલીમાં જોડાવાનો ઉદ્દેશ્ય
આજે દીકરા-દીકરીમાં કોઈ ફર્ક નથી રહ્યો. જે કામ પુરુષ કરી શકે છે તે કામ સ્ત્રી પણ કરી શકે છે. પુરુષ સાથે સ્ત્રી દરેક ક્ષેત્રમાં કદમતાલ મીલાવીને ચાલી રહી છે. ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ના નારાને દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાનો છે, જેથી દેશની દીકરીઓને એક સુંદર ભવિષ્ય મળી શકે. આ અભિયાનને આગળ
વધારવા માટે હું જુદા-જુદા રાજ્યોના પ્રવાસ કરી રહી છું.
કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયો પર તમારો મત
કેન્દ્ર સરકારે જે નિર્ણયો લીધા છે તેમાં રાષ્ટ્રહિત અને લોકહિત છૂપાયેલા છે. પછી તે નોટબંધી હોય કે GST, હું આ નિર્ણયોથી ખુશ છું. આ નિર્ણયોના સારા પરિણામ ભવિષ્યમાં જોવા મળશે. આનાથી દેશ અને દેશવાસીઓ વધુ સમૃદ્ધ અને સુખી થશે.
નરેન્દ્ર મોદીને ફરી PMના રૂપમાં જોવા માંગો છો?
હા, તેમના નેતૃત્વમાં દેશ સતત પ્રગતિના પંથે ચાલી રહ્યો છે. દેશની ઉન્નતિ અને પ્રગતિ માટે હું ઈચ્છું છું કે, તેઓ ભવિષ્યમાં પણ વડાપ્રધાન પદને સુશોભિત કરે.
કોલકાતામાં યોજશે કાર્યક્રમ
મેં અત્યાર સુધી ઘણા રાજ્યોની મુલાકાત લીધી છે. થોડા દિવસો અગાઉ મધ્ય પ્રદેશ, રાજસ્થાન, બિહારમાં પણ ગઈ હતી. ઝારખંડના લોકોના સ્વાગતથી હું ખુબ ખુશ થઈ છું. હવે કોલકાતામાં પણ મારો એક કાર્યક્રમ યોજાવાનો છે.