કમલેશ તિવારીનાં પત્ની કિરણ તિવારીને હિંદુ સમાજ પાર્ટીની નવી અધ્યક્ષ બનાવવામાં આવ્યાં છે. હિંદુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારીની હત્યા 18 ઓક્ટોબરે બહુ નિર્દયી રીતે લખનૌમાં કરવામાં આવી હતી. ત્યારબાદથી કિરણ તિવારીએ પતિની જવાબદારી સંભાળી લીધી છે. કમલેશ તિવારી લખનૌમાં હતા એ દરમિયાન જ મળાવાનું બહાનું કાઢી અશફાક અને મોઈનુદ્દીન કમલેશ તિવારીના ઘરે પહોંચ્યા અને ચપ્પાથી ખૂબજ નિર્દયી રીતે હત્યા કરી. પતિની હત્યા બાદ કિરણ તિવારી સીએમ યોગી આદિત્યનાથને મળ્યાં અને હત્યારાઓને ફાંસીની સજા આપવાની માંગણી કરી.
હિન્દુ સમાજ પાર્ટીએ શનિવારે લખનૌના યૂપી પ્રેસ ક્લબમાં 2 થી 4 વાગ્યા દરમિયાન એક પ્રેસ કૉન્ફરન્સ બોલાવી છે જેને કિરણ તિવારી સંબોધિત કરશે. ઉલ્લેખનિય છે કે, કમલેશ તિવારીની ખૂબજ ભયાનક રીતે હત્યા કરવામાં આવી છે, પોસ્ટમોર્ટમમાં ખુલાસો થયો છે કે, તેમને 15 વાર ચપ્પુ મારા બાદ ચહેરા પર ગોળી મારવામાં આવી છે, તેમનું ગળું કાપવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. હત્યારાઓ કોઇપણ હાલતમાં તિવારીને જીવતા ઓછવા ઇચ્છતા નહોંતા. પોસ્ટમોર્ટમમાં ખુલાસો થયો છે કે, ચપ્પુ શરીરના ઉપરના હિસ્સામાં છાતિ પર મારવામાં આવ્યું છે. ગળા પર બે ઊંડા ઘાના નિશાન છે, જે ગળું કાપવાના પ્રયત્નના નિશાન છે.
રૂપિયા 15 લાખની મદદ
કમલેશ તિવારીની હત્યા બાદ સરકારે મૃતકના પરિવારજનોને આર્થિક મદદ રૂપે 15 લાખ રૂપિયા આપ્યા છે. આ વાત મુખ્યમંત્રી દ્વારા બહાર પાડવામાં આવેલ આદેશમાં કહેવામાં આવી છે. મૃતકની પત્નીને આ આર્થિક સહાયની સાથે સીતાપુરમાં આવાસની સુવિધા પણ આપવામાં આવી છે,. ઉપરાંત હત્યારાઓ વિરૂદ્ધ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપથી સુનાવણી અને કાવતરું કરનાર લોકો પર કેસ ચલાવવાનું પણ કહેવામાં આવ્યું છે.