અરવિંદ કેજરીવાલને ચૂંટણી આયોગે નોટીસ ફટકારી છે. નોટિસ મોડલ કોડ ઓફ કંડક્ટના ઉલ્લંઘન માટે મોકલવામાં આવ્યો છે. કેજપીવાલ વિરુદ્ધ BJPએ ચૂંટણી આયોગથી ફરિયાદ કરી હતી કે, CMએ 13 જાન્યુઆરીએ મકરસંક્રાન્તિના અવસરે તીસ હજારી કોર્ટમાં આયોજિત કાર્યક્રમમાં કંઈ ખોટું કહ્યુ છે જનાથી લોકો વચ્ચે ખોટું સંદેશ જાય છે. કેજરીવાલે જણાવ્યુ હતુ કે, જો મને આ જગ્યા પર જમીન મળી જાય તો હું અહીં પણ મોહલ્લા ક્લિકનિક ખોલી શકુ છુ. કેજરીવાલને 31 જાન્યુઆરી સાંજે 5 વાગ્યા સુધી જવાબ આપવાનું જણાવ્યુ છે.
બુધવારે આમ આદમી પાર્ટીએ BJP સાંસદ પ્રવેશ વર્મા વિરુદ્ધ મુખ્ય દિલ્હી ચૂંટણી અધિકારીને ફરિયાદ દાખલ કરાવી છે. આમ આદમી પાર્ટી પ્રવેશ વર્મા દ્વારા અરવિંદ કેજરીવાલને ‘આતંકવાદી’ બતાવવા પર સખત નારાજ છે. આપની માંગ છે કે, પ્રવેશ વર્મા વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવે.
પ્રવેશ વર્માએ સભાને સંભોધતા દિલ્હીના મુખ્મંત્રી અરવિંદ કેજરીવાલને આતંકવાદી ગણાવ્યુ હતુ. મંગળવારે દિલ્હીમાં BJP ઉમેદવાર કેલાશ સાંકલા માટે પ્રચાર કરતા પ્રવેશ વર્માએ જણાવ્યુ કે, કેજરીવાલ જો જીતીને આવશે તો માદીપુરના રસ્તા શાહીન બાગ બની જશે. દિલ્હીમાં કેજરીવાલ જેવા નક્સલી અને આતંકવાદી છુપાયેલા છે, તેમને બહાર કાઢવાનું છે.
પ્રવેશ વર્મા મર્યાદા ઓળંગતા જણાવ્યુ કે, કાશ્મીરમાં આતંકવાદીથી લડીએ કે દિલ્હીમાં કેજરીવાલ જેવા આતંકવાદીથી. BJP સાંસદે જણાવ્યુ કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આતંકવાદી છે, તે જનતા અને શાહિન બાગમાં ધરણા પર બેઠેલા લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી એવી રીતે વર્તન કરી રહ્યા છે જેવા નક્સલી કામ કરે છે.
વિવાદિત ભાષણના પગલા રૂપે ઈલેકશન કમિશને BJPના સ્ટારપ્રચારક અનુરાગ ઠાકુરને પ્રચાર કરવા પર 72 કલાક અને BJP સાંસદ પ્રવેશ વર્મા પર 96 કલાક માટે પ્રચાર કરવા પર રોક લગાવી છે.