કન્વર્ટેડ એટલે કે હિન્દુમાંથી મુસ્લિમ બનેલા અને પોતાના બાળકોના નામ મુકુલિકા અકબર(દિકરી) અને પ્રયાગ અકબર(પુત્ર)ના નામ રાખનારા એક જમાના ઝુઝારુ પત્રકાર અને બાદમાં કોંગ્રેસથી લઈ ભાજપમાં જનારા, હાલ વિદેશ રાજ્યમંત્રી મુબશ્શર જાવેદ અકબરે(એમ.જે.અકબર) #MeTooના વિવાદ બાદ આખરે રાજીનામું આપી દીધું છે. યૌન શોષણના આરોપોથી ધેરાયેલા અકબરને છેવટે મંત્રીપદ છોડવું પડ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે તેમનું રાજીનામું માંગી લીધું છે. 20 જેટલી મહિલા પત્રકારોએ અકબર પર યૌન શોષણના આરોપ મૂક્યા છે.
વિદેશ યાત્રાએથી પાછા ફરેલા એમ.જે.અકબરે કહ્યું હતું કે આક્ષેપો પાયાવિહોણા છે. અકબરે આરોપ મૂકનારી મહિલા પત્રકાર પ્રિયા રામાણી વિરુદ્વ બદનક્ષીનો કેસ પણ દાખલ કર્યો છે.
અકબરના રાજીનામા બાદ આરોપ મૂકનારી મહિલાએ કહ્યું કે રાજીનામા બાદ એક મહિલા હોવાના નાતે મને શાંતિ મળી છે. આશા છે કે મને ન્યાય મળશે.
રવિવારે ભારત પરત ફરેલા અકબરે પોતાના પર લાગેલા આરોપોને સંપૂર્ણ રીતે ખોટા અને બેબૂનિયાદ ગણાવ્યા હતા. પ્રિયા રામાણી વિરુદ્વ કેસ દાખલ કર્યા બાદ 20 મહિલા પત્રકારોએ રામાણીનું સમર્થન કર્યું હતું. આ તમામ પત્રકારો ધ એશિયન એજની છે. તમામ મહિલા પત્રકારોએ કહ્યું કે કોર્ટમાં તેમની પણ જૂબાની લેવામાં આવે.
રાજીનામું આપી અકબરે કહ્યું કે વ્યક્તિગત રીતે કોર્ટમાં ન્યાય માંગ્યો છે. મંત્રી પદ છોડીને મારા પર લાગેલા ખોટા આરોપોને પડકારી શકું અને કેસનો સામનો કરી શકું. કેસનો સામનો કરવાની વાત પણ વ્યક્તિ રીતે ઉચિત છે. જેથી કરીને વિદેશ રાજ્યમંત્રી તરીકેના પદ પરથી રાજીનામું આપ્યું છે. હું વડાપ્રધાન મોદી અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનો દિલથી આભારી છું કે તેમણે દેશની સેવા કરવાનો મોકો આપ્યો.
67 વર્ષીય અકબર અંગ્રેજી અખબાર ધ એશિયન એજના એડીટર છે. પ્રિયા રામાણીએ સર્વ પ્રથમ આરોપ મૂક્યો હતો ત્યાર બાદ ધીરે ધીરે 20 મહિલા પત્રકારોએ તેમની સામે ફરીયાદો કર હતી. રામાણીની સાથે ગઝાલા વહાબ, અમેરિકી પત્રકાર મજલી ડે પેય કેમ્પ અને ઈંગ્લેન્ડની પત્રકાર રૂથ ડેવિડ સહિતની પત્રકારો સામેલ છે.